પુરુષોત્તમ માસ: રાજાની ભક્તિ અને ગોલોકની પ્રાપ્તિ - Tilak Kathayein
पुरुषोत्तम मास माहात्म्य कथा

Purushottam Maas Katha: Adhyaya 27 | पुरुषोत्तम मास कथा: अध्याय 27

Tilak Kathayein08 Jan 2025295 views📖 1 min read
Purushottam Maas Katha: Adhyaya 27 | पुरुषोत्तम मास कथा: अध्याय 27
પુરુષોત્તમ માસમાં તપ અને ભક્તિથી રાજા દૃઢધન્વા અને રાણી ગુણસુંદરી ગોલોક પહોંચ્યા. કથા સ્વાર્થી કદર્ય બ્રાહ્મણના પાપો, વાનર યોનિ, અને મોક્ષ પર કેન્દ્રિત છે. શ્રીનારાયણ બોલ્યા, 'આ...

પુરુષોત્તમ માસમાં તપ અને ભક્તિથી રાજા દૃઢધન્વા અને રાણી ગુણસુંદરી ગોલોક પહોંચ્યા. કથા સ્વાર્થી કદર્ય બ્રાહ્મણના પાપો, વાનર યોનિ, અને મોક્ષ પર કેન્દ્રિત છે.

શ્રીનારાયણ બોલ્યા, ‘આ પ્રકારે કહીને મૌન થયેલા મુનિશ્વર વાલ્મીકિ મુનિને સપત્નીક રાજા દૃઢધન્વાએ નમસ્કાર કર્યા, અને પ્રસન્નતાની સાથે ભક્તિપૂર્વક પૂજન કર્યું. તે રાજા દૃઢધન્વાથી કરેલી પૂજાને લઈને આશીર્વાદ આપ્યા. તમારું કલ્યાણ હો. પાપોનો નાશ કરનારી સરયૂ નદીને હું જઈશ. આ સમયે આપણે બંનેને આ પ્રકારે વાત કરતા સાયંકાળ થઈ ગયો છે. આ કહીને મુનિશ્રેષ્ઠ વાલ્મીકિ મુનિ શીઘ્ર ચાલ્યા ગયા. રાજા દૃઢધન્વા પણ સીમા સુધી વાલ્મીકિ મુનિને પહોંચાડીને પોતાના ઘરે પાછા ફર્યા. ઘરે જઈને પોતાની ગુણસુંદરી નામની સુંદરી સ્ત્રીને બોલ્યા.

રાજા દૃઢધન્વા બોલ્યા, ‘અયિ સુંદરી! રાગ, દ્વેષ, લોભ, મોહ, મદ, માત્સર્ય આ છ શત્રુઓથી યુક્ત, ગંધર્વ નગરના સમાન આ અસાર સંસારમાં મનુષ્યોને શું સુખ છે? કીટ વિષ્ટા ભસ્મ રૂપ અને વાત પિત્ત કફ આનાથી યુક્ત મળ, મૂત્ર, રક્તથી વ્યાપ્ત આવા આ શરીરથી મારો શું પ્રયોજન છે? હે વરારોહે! અધ્રુવ શરીરથી ધ્રુવવસ્તુ એકત્રિત કરવા માટે પુરુષોત્તમનું સ્મરણ કરીને વનમાં જાઉં છું.’ ત્યારે તે ગુણસુંદરી એવું સાંભળીને વિનયથી નમ્રતા યુક્ત તથા શુદ્ધતાથી હાથ જોડી પોતાના પતિને બોલી.

ગુણસુંદરી બોલી, ‘હે નૃપતે! હું પણ તમારી સાથે ચાલીશ, પતિવ્રતા સ્ત્રીઓના પતિ જ દેવતા છે. જે સ્ત્રી પતિના ગયા પછી પુત્રના ઘરમાં રહે છે, તે સ્ત્રી પુત્રવધૂના આધીન થઈને પારકા ઘરમાં કૂતરાના સમાન રહે છે. પિતા સ્વલ્પ આપે છે અને ભાઈ પણ સ્વલ્પ જ આપે છે અત્યંત દેવેવાળા પતિની સાથે કઈ સ્ત્રી નહિ જાય?’

આ પ્રકારે પ્રિયાની વાતને સ્વીકાર કરીને પુત્રનો અભિષેક કરીને સ્ત્રી સહિત શીઘ્ર જ મુનિઓથી સેવિત વનમાં ગયા. બંને સ્ત્રી-પુરુષ હિમાલયની સમીપ ગંગાજીના નિકટ જઈને પુરુષોત્તમ માસના આવવા પર બંને કાળમાં સ્નાન કરવા લાગ્યા.

હે નારદ! ત્યાં પુરુષોત્તમ માસને પ્રાપ્ત કરીને વિધિથી પુરુષોત્તમનું સ્મરણ કરીને ભાર્યા સહિત તપસ્યા કરવા લાગ્યા. ઉપર હાથ કર્યા વિના અવલંબ પગના અંગૂઠા પર સ્થિર આકાશમાં દૃષ્ટિ લગાવીને નિરાહાર થઈને રાજા શ્રીકૃષ્ણનો જપ કરવા લાગ્યા. આ પ્રકારે વ્રતની વિધિમાં સ્થિત થયેલા તપોનિધિ રાજાની પતિવ્રતા રાણી સેવામાં તત્પર થઈ.

આ પ્રકારે તપ કરતા રાજાનો પુરુષોત્તમ માસ સંપૂર્ણ થવા પર ઘંટિમાઓના જળથી વિભૂષિત વિમાન ત્યાં આવ્યું. એવા તત્કાળ આવેલા પુણ્યશીલ અને સુશીલ સેવિત વિમાનને જોઈ સ્ત્રી સહિત રાજા આશ્ચર્ય યુક્ત થઈ, વિમાનમાં બેઠેલા પુણ્યશીલ અને સુશીલને નમસ્કાર કર્યા. પુનઃ તે સ્ત્રી સહિત રાજાને વિમાનમાં બેસવાની આજ્ઞા આપી. સ્ત્રી સહિત રાજા વિમાનમાં બેસીને સુંદર નવીન શરીર ધારણ કરીને તત્કાળ ગોલોકને ગયા.

આ પ્રકારે પુરુષોત્તમ માસમાં તપ કરીને ભય રહિત લોકને પ્રાપ્ત થઈને હરિના નિકટ આનંદ કરવા લાગ્યા. અને પતિવ્રતા સ્ત્રી પણ પુરુષોત્તમના તપ કરતા પતિની સેવા કરીને તે જ લોકને પ્રાપ્ત થઈ.

શ્રીનારાયણ બોલ્યા, ‘હે નારદ! મારી એક જ જીભ છે આ સમયે તેનું શું વર્ણન કરું? આ પૃથ્વી પર પુરુષોત્તમના સમાન કંઈ પણ નથી. સહસ્ત્ર જન્મમાં તપ કરવાથી જે ફળ પ્રાપ્ત નથી થતું તે ફળ પુરુષોત્તમના સેવનથી પુરુષને પ્રાપ્ત થઈ જાય છે.

શ્રી પુરુષોત્તમ માસમાં બુદ્ધિ પૂર્વક અથવા અબુદ્ધિ પૂર્વક કોઈ પણ બહાને જો ઉપવાસ, સ્નાન, દાન અને જપ આદિ કરવામાં આવે તો કરોડો જન્મ પર્યંત કરેલા પાપ નષ્ટ થઈ જાય છે. જેમ દુષ્ટ વાંદરાએ અબુદ્ધિ પૂર્વક ત્રણ રાત સુધી પુરુષોત્તમ માસમાં કેવળ સ્નાન કરી લીધું તો તેના પૂર્વ જન્મના સમસ્ત કુકર્મોનો નાશ થઈ ગયો, અને તે વાંદરો પણ દિવ્ય શરીર ધારણ કરીને વિમાન પર ચઢીને જરામરણ રહિત ગોલોકને પ્રાપ્ત થયો. એટલા માટે આ પુરુષોત્તમ માસ સંપૂર્ણ માસોમાં અત્યંત શ્રેષ્ઠ માસ છે કારણ કે તેણે જાણ્યા વિનાથી જ પુરુષોત્તમ માસમાં કરેલા સ્નાનમાત્રથી દુષ્ટ વાનરને હરિ ભગવાનની સમીપ પહોંચાડ્યો.

અહો આશ્ચર્ય છે! શ્રીપુરુષોત્તમ માસનું સેવન જે નથી કરવાવાળા તે મહામૂર્ખ છે. તે ધન્ય છે અને કૃતકૃત્ય છે તથા તેમનો જન્મ સફળ છે. જે પુરુષ શ્રીપુરુષોત્તમ માસનું વિધિની સાથે સ્નાન, દાન, જપ, હવન, ઉપવાસપૂર્વક સેવન કરે છે.

નારદ મુનિ બોલ્યા, ‘વેદમાં સમસ્ત અર્થોનું સાધન કરવાવાળું મનુષ્ય શરીર કહેવામાં આવ્યું છે. પરંતુ આ વાનર પણ વ્યાજથી પુરુષોત્તમ માસનું સેવન કરીને સાક્ષાત્‌ મુક્ત થઈ ગયો. હે તપોનિધે! સંપૂર્ણ પ્રાણીઓના કલ્યાણના નિમિત્ત મારાથી આ કથાને કહો. આ વાનરે ત્રણ રાત્રિ સુધી સ્નાન ક્યાં પર કર્યું? આ વાનર કોણ હતો? આહાર શું કરતો હતો? ઉત્પન્ન ક્યાં થયો? ક્યાં રહેતો હતો? અને શ્રીપુરુષોત્તમ માસમાં વ્યાજથી તેને શું પુણ્ય થયું? આ બધું વિસ્તારથી સાંભળવાની ઈચ્છા કરવાવાળા મારાથી કહો. આપથી કથામૃત શ્રવણ કરતા મને તૃપ્તિ નથી થતી છે.
શ્રીનારાયણ બોલ્યા, ‘કોઈ કેરળ દેશનો અત્યંત લાલચી, મધની માખીઓના સમાન ધનમાં પ્રેમ રાખવાવાળો, સર્વદા ધનના સંચય કરવામાં તત્પર રહેવાવાળો બ્રાહ્મણ હતો. તે જ કર્મથી લોકમાં કદર્યનામથી પ્રસિદ્ધ હતો. તેના પિતાએ પણ પ્રથમ તેનું નામ ચિત્રશર્મા રાખ્યું હતું.

તે કદર્યએ સુંદર અન્ન, સુંદર વસ્ત્રનો કોઈ સમયે ઉપભોગ ન કર્યો. તે કુબુદ્ધિએ અગ્નિમાં આહુતિ, પિતૃઓનું શ્રાદ્ધ પણ ન કર્યું. યશ માટે કંઈ ન કર્યું અને આશ્રિત વર્ગનું પોષણ ન કર્યું. અન્યાયથી ધનને ભેગું કરીને પૃથ્વીમાં દાટી દીધું. માઘમાસમાં તેણે ક્યારેય તલદાન ન કર્યું. કાર્તિક માસમાં દીપદાન અને બ્રાહ્મણોને ભોજન ન કરાવ્યું. વૈશાખ માસમાં ધાન્યનું દાન ન કર્યું અને વ્યતીતપાત યોગમાં સુવર્ણનું દાન ન કર્યું. વૈધૃતિ યોગમાં ચાંદીનું દાન ન કર્યું અને આ બધા દાન ક્યારેય સૂર્ય સંક્રાંતિ કાળમાં ન આપ્યા. ચંદ્રગ્રહણ-સૂર્યગ્રહણના સમયે ન જપ કર્યો અને ન અગ્નિમાં આહુતિ આપી.

સર્વત્ર નેત્રોમાં આંસુ ભરીને દીન વચન કહ્યા કરતો હતો. વર્ષા, વાયુ, આતપથી દુઃખિત, દુબળો અને કાળા શરીરવાળો તે મૂર્ખ સર્વદા ધનના લોભથી પૃથ્વી પર ફર્યા કરતો હતો. ‘કોઈ પણ આ પામરને કંઈ આપી દેતો’ આ રીતે વારંવાર કહેતો, ગૌના દોહન સમય સુધી ક્યાંય પણ ઠરવામાં અસમર્થ હતો. લોકના પ્રાણીઓના ધિક્કારવાથી બળેલું અને ઉદ્વિગ્ન મન થઈને ફરતો હતો.

તેનો મિત્ર કોઈ બનેચર વાટિકાનો માલિક હતો. તે કદર્યએ તે માળીને વારંવાર રડતા પોતાના દુઃખને કહ્યું. નગરના વાસી મારો નિત્ય તિરસ્કાર કરે છે એટલા માટે તે નગરમાં હું નથી રહી શકતો. આ પ્રકારે કહેતા તે કદર્ય બ્રાહ્મણના અત્યંત દીન વચનને સાંભળીને માળી દયાર્દ્ર ચિત્ત થઈ ગયો.

શરણમાં આવેલા તે દીન બ્રાહ્મણ પર માળીએ દયા કરીને કહ્યું કે હે કદર્ય! આ સમયે તમે આ જ વાટિકામાં વાસ કરો. નગરવાસીઓથી તિરસ્કૃત થયેલો તે કદર્ય તે માળીના વચનને સાંભળીને પ્રસન્ન થઈને તે વાટિકામાં રહેવા લાગ્યો. નિત્ય તે માળીની પાસે વાસ કરતો અને તેની આજ્ઞાનું પાલન કરતો હતો. એટલા માટે તે કદર્યમાં માળીએ દૃઢ વિશ્વાસ કર્યો, અને તે કદર્યમાં અત્યંત વિશ્વાસ હોવાના કારણે માળીએ તે કદર્ય બ્રાહ્મણને પોતાનાથી નાનો બગીચાનો માલિક બનાવી દીધો. આના પછી તે માળીએ આ નિશ્ચય કર્યો કે કદર્ય આપણો માણસ છે. એટલા માટે વાટિકાની ચિંતાને છોડીને રાજમંદિરનું સેવન કર્યું.

રાજાના ત્યાં તે માળીને બહુ કાર્ય રહેતું હતું એટલા માટે અને પરાધીનતાવશ વાટિકાની તરફ તે ક્યારેય ન આવ્યો. તે અત્યંત દુર્બળ કદર્ય તે વાટિકાના ફળોને આનંદથી સારી રીતે ભોજન કરતો અને લોભથી બચેલા ફળોને વેચી દેતો હતો. નિર્ભય પૂર્વક તે બગીચાના ફળોને વેચીને બધું ધન સ્વયં લઈ લેતો હતો. જ્યારે માળી પૂછતો હતો તો તેની સામે જૂઠું બોલતો હતો કે નગરમાં ફરતો-ફરતો, ભિક્ષા માંગતો-માંગતો અને ખાતો-ખાતો તમારા વનની રક્ષા કરું છું. તેમ છતાં પક્ષીગણ આ બગીચાના ફળોને મહિનામાં આવીને ખાઈ જાય છે. જુઓ, મેં કેટલાક ખાતા પક્ષીઓને સારી રીતે મારી નાખ્યા છે. અહીં ચારે તરફ તે પક્ષીઓના માંસ અને પાંખો પડેલા છે તે માંસના ટુકડાઓને અને પાંખોને જોઈને તેનો અત્યંત વિશ્વાસ કરીને માળી ચાલ્યો ગયો.

આ પ્રકારે અત્યંત જર્જર તે દુષ્ટ કદર્યના વાસ કરતા ૮૭ (સત્તાસી) વર્ષ વ્યતીત થઈ ગયા. તે મૂઢ ત્યાં જ મરી ગયો અને તેને અગ્નિ અને કાષ્ઠ પણ ન મળ્યા. ભોગવ્યા વિના પાપોનો નાશ નથી થતો એવું વેદના જાણવાવાળા કહે છે.

આ કારણે હાહાકાર કરતો યમદૂતોના મુદ્‌ગરના આઘાતથી પીડિત કષ્ટની સાથે અત્યંત ભયંકર દીર્ઘ માર્ગને ગયો. પૂર્વમાં કરેલા કર્મોને સ્મરણ કરતો અને પ્રલાપ કરતો તથા બુદ્‌બુદ્‌ અક્ષરોમાં કહેતો કે અહો! આશ્ચર્ય છે. મારા દુષ્ટ કદર્યના અજ્ઞાનને જુઓ, કૃષ્ણસારથી યુક્ત પવિત્ર આ ભારતખંડમાં દેવતાઓને પણ દુર્લભ મનુષ્ય શરીરને પ્રાપ્ત કરીને મેં ધનના લોભથી શું કર્યું? અર્થાત્‌ કંઈ પણ ન કર્યું અને મેં જન્મ વ્યર્થમાં ખોયો તથા મેં બહુ દિવસોમાં જે ધન સંચય કર્યું હતું તે ધન તો પરાધીન થઈ ગયું. આ સમયે કાળપાશમાં બંધાયેલો પરાધીન થઈને શું કરું? પ્રથમ મનુષ્ય શરીરને પ્રાપ્ત કરીને કંઈ પણ પુણ્યકર્મ ન કર્યું. ન તો દાન આપ્યું, ન અગ્નિમાં આહુતિ આપી, ન હિમાલયની ગુફામાં જઈને તપસ્યા કરી, મકરના સૂર્ય થવા પર માઘ માસમાં ન ગંગાના જળનું સેવન કર્યું. પુરુષોત્તમ માસના અંતમાં ત્રણ દિવસ ઉપવાસ પણ ન કર્યો અને કાર્તિક માસમાં તારાગણના રહેતા પ્રાતઃ સ્નાન ન કર્યું.

મેં પુરુષાર્થને દેવાવાળા મનુષ્ય શરીરને પણ પુષ્ટ ન કર્યું. અહો! આશ્ચર્ય છે. મારું સંચિત ધન પૃથ્વીમાં નિરર્થક ગડ્યું રહી ગયું. દુષ્ટ બુદ્ધિ હોવાના કારણે જીવનપર્યંત જીવને કષ્ટ આપ્યું અને મેં જઠરાગ્નિને પણ ક્યારેય અન્નથી તૃપ્ત ન કર્યો. કોઈ પર્વના સમયે પણ ઉત્તમ વસ્ત્રથી શરીરને આચ્છાદિત ન કર્યું. ન તો જાતિના લોકોને, ન બાંધવોને, ન સ્વજનોને, ન બહેનોને, ન જમાઈને, ન કન્યાને, ન પિતા-માતા, નાના ભાઈને, ન પતિવ્રતા સ્ત્રીને, ન બ્રાહ્મણોને પ્રસન્ન કર્યા. આ લોકોને એક વાર પણ મીઠાઈથી ક્યારેય તૃપ્ત ન કર્યા. આ પ્રકારે વિલાપ કરતા તે કદર્યને યમદૂત યમરાજના સમીપ લઈ ગયા.

તેને જોઈને ચિત્રગુપ્તે તેના પાપ-પુણ્યને જોયા અને પોતાના સ્વામી ધર્મરાજને કહ્યું કે હે મહારાજ! આ બ્રાહ્મણોમાં અધમ કૃપણ છે. ધનના લોભી આ દુષ્ટ કદર્યનું કંઈ પણ પુણ્ય નથી. વાટિકામાં રહીને તેણે બહુ પાપ કર્યું છે. માળીનો વિશ્વા્સપાત્ર બનીને સાક્ષાત્‌ સ્વયં ફળોને ચોરાવ્યા અને જે-જે પાકેલા ફળ હતા તેમને ખાધા, અને જે ખાવાથી બચેલા ફળ હતા તેમને આ દુષ્ટએ ધનના લોભથી વેચી દીધા. એક ફળોની ચોરીનું પાપ, બીજું વિશ્વાસઘાતનું પાપ. હે પ્રભો! આ બે પાપ આ કૃપણમાં અત્યંત ઉગ્ર છે અને પણ આમાં કેટલાક પ્રકારના અનેક પાપ છે.

નારદ મુનિ બોલ્યા, ‘આ પ્રકારે બ્રહ્માના પુત્ર ચિત્રગુપ્તના વચનને સાંભળીને અત્યંત ક્રોધથી યુક્ત ધર્મરાજે કહ્યું કે આ કદર્ય એક હજાર વાર વાનર યોનિમાં જાય અને વિશ્વાસઘાતનું ફળ આને પછી થશે.

ઇતિ શ્રીબૃહન્નારદીયપુરાણે પુરુષોત્તમમાસમાહાત્મ્યે સપ્તવિંશોऽધ્યાયઃ ॥૨૭॥

શેર કરો:

સંબંધિત લેખ

Purushottam Maas Katha | पुरुषोत्तम मास माहात्म्य
પુરુષોત્તમ માસ માહાત્મ્ય કથા

પુરુષોત્તમ માસનું મહત્વ

પુરુષોત્તમ માસ, જે પહેલાં મલમાસ તરીકે ઓળખાતો હતો, તે શ્રી કૃષ્ણના વરદાનથી વિશેષ મહત્વ પ્રાપ્ત કરે છે. આ મહિનામાં તપ, પૂજા, દાન, કથા શ્રવણથી અનંત પુણ્ય…

12 Jan 2025473
Purushottam Maas Katha: Adhyaya 4 | पुरुषोत्तम मास कथा: अध्याय 4 |
પુરુષોત્તમ માસ માહાત્મ્ય કથા

Purushottam Maas Katha: Adhyaya 4 | पुरुषोत्तम मास कथा: अध्याय 4 |

અધિમાસ, શરણાગતિ સ્વીકારીને, ભગવાન વિષ્ણુ સમક્ષ અપમાનિત થવાના પોતાના દુ:ખ અને વેદનાનું વર્ણન કરે છે. કરુણાથી પ્રેરાઈને, ભગવાન વિષ્ણુ અધિમાસને સ્વીકારે છે અને તેને ખાતરી આપે છે. શ્રી નારાયણે કહ્યું,...

12 Jan 202597
Purushottam Maas Katha: Adhyaya 10 | पुरुषोत्तम मास कथा: अध्याय 10
પુરુષોત્તમ માસ માહાત્મ્ય કથા

Purushottam Maas Katha: Adhyaya 10 | पुरुषोत्तम मास कथा: अध्याय 10

દુર્વાસા મુનિએ કન્યાને પુરુષોત્તમ માસનું મહત્વ સમજાવ્યું, પરંતુ તેણીએ તેનો અસ્વીકાર કર્યો. પછી, દુર્વાસાએ તેને શ્રાપ આપવાને બદલે, શિવની તપસ્યા કરવાની સલાહ આપી. નારદ…

12 Jan 2025107
Purushottam Maas Katha: Adhyaya 11 |  पुरुषोत्तम मास कथा: अध्याय 11
પુરુષોત્તમ માસ માહાત્મ્ય કથા

Purushottam Maas Katha: Adhyaya 11 | पुरुषोत्तम मास कथा: अध्याय 11

કથામાં એક તપસ્વી કન્યાએ ભગવાન શિવની કઠોર તપસ્યા કરી. શિવજીએ તેને પાંચ પતિનું વરદાન આપ્યું, પરંતુ કન્યાએ તેને અસ્વીકાર કરી દીધો, અને પુરુષોત્તમ માસ…

12 Jan 2025159
Purushottam Maas Katha: Adhyaya 12 | पुरुषोत्तम मास कथा: अध्याय 12
પુરુષોત્તમ માસ માહાત્મ્ય કથા

પુરુષોત્તમ માસ કથા: અધ્યાય ૧૨

આ કથા પુરુષોત્તમ માસના મહાત્મ્ય અને ભગવાન શ્રીકૃષ્ણના ઉપદેશો પર આધારિત છે. નારદજીએ ભગવાનને પૂછ્યું કે જ્યારે શિવજી ગયા, ત્યારે તપસ્વિની કન્યા પર શું વીતી. શ્રી...

12 Jan 2025246
Purushottam Maas Katha: Adhyaya 13  | पुरुषोत्तम मास कथा: अध्याय 13
પુરુષોત્તમ માસ માહાત્મ્ય કથા

પુરુષોત્તમ માસ કથા: અધ્યાય ૧૩

આ અંશમાં ઋષિ રાજા દ્રઢધનવા ની કથા કહે છે, જે પોતાની સમૃદ્ધિ પર વિચાર કરતી વખતે આધ્યાત્મિક જ્ઞાન મેળવવા માટે દિવ્ય ઉપદેશો દ્વારા પરિવર્તનનો અનુભવ કરે છે.

12 Jan 2025208