પુરુષોત્તમ માસનું મહત્વ

પુરુષોત્તમ માસ, જેને મલમાસ તરીકે ઓળખવામાં આવતો હતો, તે શ્રીકૃષ્ણના વરદાનથી વિશેષ મહત્વ પ્રાપ્ત કરે છે. આ મહિનામાં તપ, પૂજા, દાન, કથા શ્રવણથી અનંત પુણ્ય મળે છે.
પુરુષોત્તમ માસ માહાત્મ્ય ?
પુરાણોમાં અધિકમાસ એટલે કે મલમાસના પુરુષોત્તમ માસ બનવાની મોટી જ રસપ્રદ કથા છે. તે કથા અનુસાર બાર મહિનાઓના અલગ-અલગ સ્વામી છે પણ સ્વામીવિહીન હોવાના કારણે અધિકમાસને મલમાસ કહેવાથી તેની મોટી નિંદા થવા લાગી. આ વાતથી દુ:ખી થઈને મલમાસ શ્રીહરિ વિષ્ણુ પાસે ગયો અને તેમની પાસે પોતાનું દુઃખ રડ્યો.
ભક્તવત્સલ શ્રીહરિ તેને લઈને ગોલોક પહોંચ્યા. ત્યાં શ્રીકૃષ્ણ વિરાજમાન હતા. કરુણાસિંધુ ભગવાન શ્રીકૃષ્ણે મલમાસની વ્યથા જાણીને તેને વરદાન આપ્યું- હવેથી હું તમારો સ્વામી છું. આથી મારા બધા દિવ્ય ગુણ તમારામાં સમાવિષ્ટ થઈ જશે. હું પુરુષોત્તમ નામે વિખ્યાત છું અને હું તમને આ જ નામ આપી રહ્યો છું. આજથી તમે મલમાસના સ્થાને પુરુષોત્તમ માસના નામથી ઓળખાશો.
શાસ્ત્રો અનુસાર દર ત્રીજા વર્ષે સર્વોત્તમ એટલે કે પુરુષોત્તમ માસની ઉત્પત્તિ થાય છે. આ માસના સમયે જપ, તપ, દાનથી અનંત પુણ્યોની પ્રાપ્તિ થાય છે. આ માસમાં શ્રીકૃષ્ણ, શ્રીમદ્ભગવતગીતા, શ્રીરામ કથા વાચન અને વિષ્ણુ ભગવાનની ઉપાસના કરવામાં આવે છે. આ માસમાં ઉપાસના કરવાનું પોતાનું અલગ જ મહત્વ છે. આ મહિનામાં તુલસી અર્ચના કરવાનું વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે.
પુરુષોત્તમ માસમાં કથા વાંચવાથી, સાંભળવાથી પણ ખૂબ લાભ પ્રાપ્ત થાય છે. આ માસમાં ધરતી પર શયન, એક જ સમયે ભોજન કરવાથી અનંત ફળ પ્રાપ્ત થાય છે. સૂર્યની બાર સંક્રાંતિના આધાર પર જ વર્ષમાં 12 માસ હોય છે. દરેક ત્રણ વર્ષ પછી પુરુષોત્તમ માસ આવે છે.
પંચાંગ અનુસાર બધી તિથિ-વાર, યોગ-કરણ, નક્ષત્ર સિવાય બધા માસના કોઈ ને કોઈ દેવતા સ્વામી છે, પરંતુ પુરુષોત્તમ માસનો કોઈ સ્વામી ન હોવાના કારણે બધા મંગળ કાર્ય, શુભ અને પિતૃ કાર્ય વર્જિત માનવામાં આવે છે.
દાન, ધર્મ, પૂજનનું મહત્વ શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યું છે કે આ મહિનો વ્રત-ઉપવાસ, દાન-પૂજા, યજ્ઞ-હવન અને ધ્યાન કરવાથી મનુષ્યના બધા પાપ કર્મોનો ક્ષય થઈને તેમને અનેકગણું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. આ મહિનામાં તમારા દ્વારા દાન આપવામાં આવેલો એક રૂપિયો પણ તમને સો ગણું ફળ આપે છે.
એટલા માટે અધિક માસના મહત્વને ધ્યાનમાં રાખીને આ મહિનામાં દાન-પુણ્ય આપવાનું ખૂબ મહત્વ છે. આ મહિનામાં ભાગવત કથા, શ્રીરામ કથા શ્રવણ પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે. ધાર્મિક તીર્થ સ્થળો પર સ્નાન કરવાથી તમને મોક્ષની પ્રાપ્તિ અને અનંત પુણ્યોની પ્રાપ્તિ મળે છે.
પુરુષોત્તમ માસનો અર્થ જે મહિનામાં સૂર્ય સંક્રાંતિ નથી હોતી તે અધિક માસ કહેવાય છે. આમાં વિશેષ રૂપે સર્વ માંગલિક કાર્ય વર્જિત માનવામાં આવ્યા છે, પરંતુ આ મહિનો ધર્મ-કર્મનું કાર્ય કરવામાં ખૂબ ફળદાયી છે. આ માસમાં કરવામાં આવેલા ધાર્મિક આયોજન પુણ્ય ફળદાયી હોવાની સાથે જ તે તમને બીજા મહિનાઓની અપેક્ષાએ કરોડ ગણું વધારે ફળ આપવાવાળા માનવામાં આવ્યા છે.
પુરુષોત્તમ માસમાં દીપદાન, વસ્ત્ર અને શ્રીમદ્ભાગવત કથા ગ્રંથ દાનનું વિશેષ મહત્વ છે. આ માસમાં દીપદાન કરવાથી ધન-વૈભવમાં વૃદ્ધિ થવાની સાથે તમને પુણ્ય લાભ પણ પ્રાપ્ત થાય છે.
સંબંધિત લેખ

Purushottam Maas Katha: Adhyaya 4 | पुरुषोत्तम मास कथा: अध्याय 4 |
અધિમાસ, શરણાગતિ સ્વીકારીને, ભગવાન વિષ્ણુ સમક્ષ અપમાનિત થવાના પોતાના દુ:ખ અને વેદનાનું વર્ણન કરે છે. કરુણાથી પ્રેરાઈને, ભગવાન વિષ્ણુ અધિમાસને સ્વીકારે છે અને તેને ખાતરી આપે છે. શ્રી નારાયણે કહ્યું,...

Purushottam Maas Katha: Adhyaya 10 | पुरुषोत्तम मास कथा: अध्याय 10
દુર્વાસા મુનિએ કન્યાને પુરુષોત્તમ માસનું મહત્વ સમજાવ્યું, પરંતુ તેણીએ તેનો અસ્વીકાર કર્યો. પછી, દુર્વાસાએ તેને શ્રાપ આપવાને બદલે, શિવની તપસ્યા કરવાની સલાહ આપી. નારદ…

Purushottam Maas Katha: Adhyaya 11 | पुरुषोत्तम मास कथा: अध्याय 11
કથામાં એક તપસ્વી કન્યાએ ભગવાન શિવની કઠોર તપસ્યા કરી. શિવજીએ તેને પાંચ પતિનું વરદાન આપ્યું, પરંતુ કન્યાએ તેને અસ્વીકાર કરી દીધો, અને પુરુષોત્તમ માસ…

પુરુષોત્તમ માસ કથા: અધ્યાય ૧૨
આ કથા પુરુષોત્તમ માસના મહાત્મ્ય અને ભગવાન શ્રીકૃષ્ણના ઉપદેશો પર આધારિત છે. નારદજીએ ભગવાનને પૂછ્યું કે જ્યારે શિવજી ગયા, ત્યારે તપસ્વિની કન્યા પર શું વીતી. શ્રી...

પુરુષોત્તમ માસ કથા: અધ્યાય ૧૩
આ અંશમાં ઋષિ રાજા દ્રઢધનવા ની કથા કહે છે, જે પોતાની સમૃદ્ધિ પર વિચાર કરતી વખતે આધ્યાત્મિક જ્ઞાન મેળવવા માટે દિવ્ય ઉપદેશો દ્વારા પરિવર્તનનો અનુભવ કરે છે.

Purushottam Maas Katha: Adhyaya 14 | पुरुषोत्तम मास कथा: अध्याय 14
રાજા દૃઢધન્વાએ વાલ્મીકિ મુનિને શુક પક્ષીના વચન વિશે પૂછ્યું, જેથી તે પોતાના જીવનની સફળતા અને સમૃદ્ધિનું કારણ સમજવા માંગતા હતા. વાલ્મીકિ મુનિએ...