Purushottam Mas Katha: Adhyaya 1 | पुरुषोत्तम मास कथा: अध्याय 1
નૈમિષારણ્યમાં ઋષિઓનું યજ્ઞ હેતુ સંગમ, સૂતજી અને શુકદેવજીનું સ્વાગત, તેમની દિવ્યતા, ભક્તિ, જ્ઞાન અને તીર્થયાત્રાના મહત્વ પર આધારિત આધ્યાત્મિક સંવાદનું વર્ણન.
કલ્પવૃક્ષના સમાન ભક્તજનોના મનોરથને પૂર્ણ કરવાવાળા વૃંદાવનની શોભાના અધિપતિ અલૌકિક કાર્યો દ્વારા સમસ્ત લોકને ચકિત કરવાવાળા વૃંદાવનબિહારી પુરુષોત્તમ ભગવાનને નમસ્કાર કરું છું.
નારાયણ, નર, નરોત્તમ તથા દેવી સરસ્વતી અને શ્રીવ્યાસજીને નમસ્કાર કરી જયની ઈચ્છા કરું છું.
યજ્ઞ કરવાની ઈચ્છાથી પરમ પવિત્ર નૈમિષારણ્યમાં આગળ કહેવામાં આવેલા ઘણા મુનિ આવ્યા. જેમ કે, અસિત, દેવલ, પૈલ, સુમન્તુ, પિપ્પલાયન, સુમતિ, કશ્યપ, જાબાલિ, ભૃગુ, અંગિરા, વામદેવ, સુતીક્ષ્ણ, શરભંગ, પર્વત, આપસ્તમ્બ, માંડવ્ય, અગસ્ત્ય, કાત્યાયન, રથીતર, ઋભુ, કપિલ, રૈભ્ય, ગૌતમ, મુદગલ, કૌશિક, ગાલવ, ક્રતુ, અત્રિ, બભ્રુ, ત્રિત, શક્તિ, બધુ, બૌધાયન, વસુ, કૌન્ડિન્ય, પૃથુ, હારીત, ધ્રૂમ, શંકુ, સંકૃતિ, શનિ, વિભાંડક, પંક, ગર્ગ, કાણાદ, જમદગ્નિ, ભરદ્વાજ, ધૂમપ, મૌનભાર્ગવ, કર્કશ, શૌનક તથા મહાતપસ્વી શતાનંદ, વિશાલ, વૃદ્ધવિષ્ણુ, જર્જર, જય, જંગમ, પાર, પાશધર, પૂર, મહાકાય, જૈમિનિ, મહાગ્રીવ, મહાબાહુ, મહોદર, મહાબલ, ઉદ્દાલક, મહાસેન, આર્ત, આમલકપ્રિય, ઊર્ધ્વબાહુ, ઊર્ધ્વપાદ, એકપાદ, દુર્ધર, ઉગ્રશીલ, જલાશી, પિંગલ, અત્રિ, ઋભુ, શાંડીર, કરુણ, કાલ, કૈવલ્ય, કલાધાર, શ્વેતબાહુ, રોમપાદ, કદ્રુ, કાલાગ્નિરુદ્રગ, શ્વેતાશ્વર, આદ્ય, શરભંગ, પૃથુશ્રવસ્ આદિ.
શિષ્યોના સહિત આ બધા ઋષિ અંગોના સહિત વેદોને જાણવાવાળા, બ્રહ્મનિષ્ઠ, સંસારની ભલાઈ તથા પરોપકાર કરવાવાળા, બીજાઓના હિતમાં સર્વદા તત્પર, શ્રૌત, સ્માર્ત કર્મ કરવાવાળા. નૈમિષારણ્યમાં આવીને યજ્ઞ કરવાને તત્પર થયા. આ બાજુ તીર્થયાત્રાની ઈચ્છાથી સૂતજી પોતાના આશ્રમથી નીકળ્યા, અને પૃથ્વીનું ભ્રમણ કરતા તેમણે નૈમિષારણ્યમાં આવીને શિષ્યોના સહિત સમસ્ત મુનિઓને જોયા. સંસાર સમુદ્રથી પાર કરવાવાળા તે ઋષિઓને નમસ્કાર કરવા માટે, પહેલાથી જ્યાં તેઓ ભેગા થયા હતા ત્યાં જ પ્રસન્નચિત્ત સૂતજી પણ જઈ પહોંચ્યા.
આના પછી ઝાડની લાલ છાલને ધારણ કરવાવાળા, પ્રસન્નમુખ, શાંત, પરમાર્થ વિશારદ, સમગ્ર ગુણોથી યુક્ત, સંપૂર્ણ આનંદોથી પરિપૂર્ણ, ઊર્ધ્વપુણ્ડ્રધારી, રામ નામ મુદ્રાથી યુક્ત, ગોપીચંદન મૃત્તિકાથી દિવ્ય, શંખ, ચક્રનો છાપો લગાવેલા, તુલસીની માળાથી શોભિત, જટા-મુગટથી ભૂષિત, સમસ્ત આપત્તિઓથી રક્ષા કરવાવાળા, અલૌકિક ચમત્કારને દેખાડવાવાળા, ભગવાનના પરમ મંત્રને જપતા સમસ્ત શાસ્ત્રોના સારને જાણવાવાળા, સંપૂર્ણ પ્રાણીઓના હિતમાં સંલગ્ન, જિતેન્દ્રિય તથા ક્રોધને જીતેલા, જીવન્મુક્ત, જગદ્ગુરુ શ્રી વ્યાસની જેમ અને તેમની જેમ જ નિઃસ્પૃહ્ આદિગુણોથી યુક્ત તેમને જોઈને તે નૈમિષારણ્યમાં રહેવાવાળા સમસ્ત મહર્ષિગણ સહસા ઊભા થઈ ગયા.
વિવિધ પ્રકારની વિચિત્ર કથાઓને સાંભળવાની ઈચ્છા પ્રગટ કરવા લાગ્યા. ત્યારે નમ્રસ્વભાવ સૂતજી પ્રસન્ન થઈને બધા ઋષિઓને હાથ જોડીને વારંવાર દંડવત્ પ્રણામ કરવા લાગ્યા.
ઋષિ લોકો બોલ્યા, ‘હે સૂતજી! આપ ચિરંજીવી તથા ભગવદ્ભક્ત હોવો. અમે લોકોએ આપના યોગ્ય સુંદર આસન લગાવ્યું છે. હે મહાભાગ! આપ થાક્યા છો, અહીં બેસી જાઓ.’
એવું બધા બ્રાહ્મણોએ કહ્યું. આ પ્રકારે બેસવા માટે કહીને જ્યારે બધા તપસ્વી અને સમસ્ત જનતા બેસી ગઈ ત્યારે વિનયપૂર્વક તપોવૃદ્ધ સમસ્ત મુનિઓથી બેસવાની અનુમતિ લઈને પ્રસન્ન થઈને આસન પર સૂતજી બેસી ગયા.
ત્યારબાદ સૂતને સુખપૂર્વક બેઠેલા અને શ્રમરહિત જોઈને પુણ્યકથાઓને સાંભળવાની ઈચ્છાવાળા સમસ્ત ઋષિ આ બોલ્યા, ‘હે સૂતજી! હે મહાભાગ! આપ ભાગ્યવાન છો. ભગવાન વ્યાસના વચનોના હાર્દિક અભિપ્રાયને ગુરુની કૃપાથી આપ જાણો છો. શું આપ સુખી તો છો? આજે ઘણા દિવસો પછી કેવી રીતે આ વનમાં પધાર્યા? આપ પ્રશંસાના પાત્ર છો. હે વ્યાસશિષ્યશિરોમણે! આપ પૂજ્ય છો.
આ અસાર સંસારમાં સાંભળવા યોગ્ય હજારો વિષય છે પરંતુ તેમાં શ્રેયસ્કર, થોડું-સા અને સારભૂત જે હોય તે અમે લોકોને કહો. હે મહાભાગ! સંસાર-સમુદ્રમાં ડૂબતા લોકોને પાર કરવાવાળા તથા શુભફળ આપવાવાળા, આપના મનમાં નિશ્ચિત વિષય જે હોય તે જ અમે લોકોને કહો.
હે અજ્ઞાનરૂપ અંધકારથી અંધ થયેલાઓને જ્ઞાનરૂપ ચક્ષુ આપવાવાળા! ભગવાનના લીલારૂપી રસથી યુક્ત, પરમાનંદનું કારણ, સંસારરૂપી રોગને દૂર કરવામાં રસાયણના સમાન જે કથાનો સાર છે તે જલ્દી જ કહો.’
આ પ્રકારે શૌનકાદિક ઋષિઓના પૂછવા પર હાથ જોડીને સૂતજી બોલ્યા, ‘હે સમસ્ત મુનિઓ! મારી કહેલી સુંદર કથાને આપ લોકો સાંભળો. હે વિપ્રો! પહેલાં હું પુષ્કર તીર્થ પર ગયો, ત્યાં સ્નાન કરીને પવિત્ર ઋષિઓ, દેવતાઓ તથા પિતૃઓને તર્પણાદિથી તૃપ્ત કરીને ત્યારે સમસ્ત પ્રતિબંધોને દૂર કરવાવાળી યમુનાના તટ પર ગયો, પછી ક્રમથી અન્ય તીર્થો પર જઈને ગંગા તટ પર ગયો. પુનઃ કાશી આવીને ત્યારબાદ ગયાતીર્થ પર ગયો. પિતૃઓનું શ્રાદ્ધ કરી ત્યારે ત્રિવેણી પર ગયો. ત્યારબાદ કૃષ્ણા પછી ગંડકીમાં સ્નાન કરી પુલહ ઋષિના આશ્રમ પર ગયો.
ધેનુમતીમાં સ્નાન કરી પછી સરસ્વતીના તીર પર ગયો, ત્યાં હે વિપ્રો! ત્રિરાત્રિ ઉપવાસ કરી ગોદાવરી ગયો. પછી કૃતમાલા, કાવેરી, નિર્વિન્ધ્યા, તામ્રપર્ણિકા, તાપી, વૈહાયસી, નંદા, નર્મદા, શર્મદા, નદીઓ પર ગયો. પુનઃ ચર્મણ્વતીમાં સ્નાન કરી પાછળથી સેતુબંધ રામેશ્વર પહોંચ્યો. ત્યારબાદ નારાયણનું દર્શન કરવાના હેતુથી બદરી વન ગયો. ત્યારે નારાયણનું દર્શન કરી, ત્યાં તપસ્વીઓનું અભિનંદન કરી, પુનઃ નારાયણને નમસ્કાર કરી અને તેમની સ્તુતિ કરી સિદ્ધક્ષેત્ર પહોંચ્યો. આ પ્રકારે ઘણા તીર્થોમાં ફરતો કુરુદેશ તથા જાંગલ દેશમાં ફરતો-ફરતો ફરી હસ્તિનાપુરમાં ગયો.
હે દ્વિજો! ત્યાં આ સાંભળ્યું કે રાજા પરીક્ષિત રાજ્યને ત્યાગી ઘણા ઋષિઓના સાથે પરમ પુણ્યપ્રદ ગંગાતીર ગયા છે, અને તે ગંગાતટ પર ઘણા સિદ્ધ, સિદ્ધિ છે ભૂષણ જેમના એવા યોગીલોગ અને દેવર્ષિ ત્યાં પર આવ્યા છે તેમાં કોઈ નિરાહાર, કોઈ વાયુ ભક્ષણ કરી, કોઈ જળ પીને, કોઈ પાંદડા ખાઈને, કોઈ શ્વાસને જ આહાર કરી, કોઈ ફલાહાર કરી અને કોઈ-કોઈ ફેણનો આહાર કરી રહે છે.
હે દ્વિજો! તે સમાજમાં કંઈક પૂછવાની ઈચ્છાથી અમે પણ ગયા. ત્યાં બ્રહ્મસ્વરૂપ ભગવાન મહામુનિ, વ્યાસના પુત્ર, મોટા તેજવાળા, મોટા પ્રતાપી, શ્રીકૃષ્ણના ચરણ-કમળોને મનથી ધારણ કરેલા શ્રીશુકદેવજી આવ્યા. તે ૧૬ વર્ષના યોગીરાજ, શંખની જેમ કંઠવાળા, મોટા લાંબા, ચીકણા વાળોથી ઘેરાયેલા મુખવાળા, મોટી પુષ્ટ ખભાની સંધિવાળા, ચમકતી કાંતિવાળા, અવધૂત રૂપવાળા, બ્રહ્મરૂપ, થૂંકતા છોકરાઓથી ઘેરાયેલા મક્ષિકાઓથી જેમ મસ્ત હાથી ઘેરાયેલો રહે છે તે જ પ્રકારે ધૂળ હાથમાં લીધેલી સ્ત્રીઓથી ઘેરાયેલા, સર્વાંગ ધૂળ રમાડેલા મહામુનિ શુકદેવને જોઈ બધા મુનિ પ્રસન્નતા પૂર્વક હાથ જોડીને સહસા ઊભા થઈ ગયા.
આ પ્રકારે મહામુનિઓ દ્વારા સત્કૃત ભગવાન શુકને જોઈને પશ્ચાત્તાપ કરતી (પછતાતી) સ્ત્રીઓ અને સાથેના બાળક જે તેમને ચીડવી રહ્યા હતા, દૂર જ ઊભા રહી ગયા અને ભગવાન શુકને પ્રણામ કરીને પોતાના-પોતાના ઘરોની તરફ ચાલ્યા ગયા.
આ બાજુ મુનિ લોકોએ શુકદેવ માટે મોટું ઊંચું અને ઉત્તમ આસન બિછાવ્યું. તે આસન પર બેઠેલા ભગવાન શુકને કમળની કર્ણિકાને જેમ કમળના પાંદડા ઘેરીને રહે છે તે જ પ્રકારે મુનિ લોકો તેમને ઘેરીને બેસી ગયા.
અહીં બેઠેલા જ્ઞાનરૂપ મહાસાગરના ચંદ્રમા ભગવાન મહામુનિ વ્યાસજીના પુત્ર શુકદેવ બ્રાહ્મણો દ્વારા કરેલી પૂજાને ધારણ કરી તારાગણોથી ઘેરાયેલા ચંદ્રમાની જેમ શોભા પામી રહ્યા હતા.
ઇતિ બૃહન્નારદીયે શ્રીપુરુષોત્તમમાહાત્મ્યે પ્રથમોऽધ્યાયઃ ॥૧॥
આજનું પંચાંગ 25 જુલાઈ 2026
શુભ મુહૂર્ત, ચોઘડિયા, રાશિફળ અને ગ્રહ સ્થિતિ માટે
સંબંધિત લેખ

Purushottam Mas Katha: Adhyaya 2 | पुरुषोत्तम मास कथा: अध्याय 2
સુત ગોસ્વામીએ નારાયણ દ્વારા નારદને કહેલા પુરુષોત્તમ માસના મહિમા ઋષિઓને સંભળાવ્યા. આ મહિનો, ભગવાન પ્રત્યે ભક્તિ, ઉપવાસ અને દાન દ્વારા, પાપોનો નાશ કરે છે અને મુક્તિ તરફ દોરી જાય છે...

Purushottam Mas Katha: Adhyaya 3 | पुरुषोत्तम मास कथा: अध्याय 3
અધિમાસે નિંદા અને લાચારી અનુભવીને ભગવાન વિષ્ણુનો આશ્રય લીધો. તેમણે પોતાની દુર્દશા વર્ણવી, અને ભગવાને તેમને આશ્વાસન આપતાં તેમનું સન્માન કરવાનું વચન આપ્યું. ઋષિઓએ કહ્યું, 'હે...

Purushottam Mas Katha: Adhyaya 5 | पुरुषोत्तम मास कथा: अध्याय 5
અધિક માસના દુઃખથી વ્યથિત, ભગવાન વિષ્ણુ અધિક માસને લઈને શ્રીકૃષ્ણના ગોલોક પહોંચ્યા. શ્રીકૃષ્ણે અધિક માસને સ્વીકારતા તેને "પુરુષોત્તમ માસ" નું સન્માન આપ્યું, તેનું દુઃખ હરી લીધું...

Purushottam Mas Katha: Adhyaya 6 | पुरुषोत्तम मास कथा: अध्याय 6
ભગવાન વિષ્ણુ અધિકમાસના દુઃખને લઈને ગોલોકમાં શ્રીકૃષ્ણ પાસે ગયા. શ્રીકૃષ્ણે અધિકમાસના દુઃખને દૂર કરીને તેને સર્વોત્તમ "પુરુષોત્તમ માસ" નો દરજ્જો આપ્યો. નારદજી બોલ્યા...

Purushottam Mas Katha: Adhyaya 7 | पुरुषोत्तम मास कथा: अध्याय 7
ભગવાન શ્રીકૃષ્ણે મલમાસને "પુરુષોત્તમ માસ" નામ આપીને સર્વોચ્ચ સ્થાન આપ્યું. આ માસમાં જપ, દાન, સ્નાન અને પૂજાથી ભક્તોને અસીમ પુણ્ય અને મોક્ષ પ્રાપ્ત થાય છે.

પુરુષોત્તમ માસ કથા: અધ્યાય ૮
સૂતજી બોલ્યા, ‘હે તપોધન! વિષ્ણુ અને શ્રીકૃષ્ણના સંવાદને સાંભળી સંતુષ્ટમન નારદ, નારાયણથી પુનઃ પ્રશ્ન કરવા લાગ્યા. નારદજી બોલ્યા, ‘હે પ્રભો! જ્યારે વિષ્ણુ વૈકુંઠ ચાલ્યા ગયા ત્યારે પછી…'