Purushottam Mas Katha: Adhyaya 2 | पुरुषोत्तम मास कथा: अध्याय 2

સૂતજીએ ઋષિઓને નારાયણ દ્વારા નારદને સંભળાવવામાં આવેલી પુરુષોત્તમ માસની મહિમા જણાવી. આ માસ ભગવાન પ્રત્યે ભક્તિ, વ્રત અને દાનથી પાપોનો નાશ અને મોક્ષ પ્રદાન કરે છે.
સૂતજી બોલ્યા, ‘રાજા પરીક્ષિતના પૂછવા પર ભગવાન શુક દ્વારા કહેવાયેલ પરમ પુણ્યપ્રદ શ્રીમદ્ ભાગવત શુકદેવજીના પ્રસાદથી સાંભળીને અને ત્યારબાદ રાજાનું મોક્ષ પણ જોઈને હવે અહીં યજ્ઞ કરવા માટે તૈયાર બ્રાહ્મણોને જોવા માટે હું આવ્યો છું અને અહીં યજ્ઞમાં દીક્ષા લીધેલા બ્રાહ્મણોનું દર્શન કરીને હું કૃતાર્થ થયો છું.
ઋષિ બોલ્યા, ‘હે સાધો! અન્ય વિષયની વાતોને ત્યાગ કરીને ભગવાન કૃષ્ણદ્વૈપાયનના પ્રસાદથી તેમના મુખથી જે તમે સાંભળ્યું છે તે જ અપૂર્વ વિષય, હે સૂત! આપ અમને લોકોને કહો. હે મહાભાગ! સંસારમાં જેનાથી પરે કોઈ સાર નથી, એવી મનને પ્રસન્ન કરનારી અને જે સુધાથી પણ અધિક હિતકર છે એવી પુણ્ય કથા, અમને લોકોને સંભળાવો.’
સૂતજી બોલ્યા, ‘વિલોમ (બ્રાહ્મણના ચરુમાં ક્ષત્રિયનું ચરુ મળી જવાને)થી ઉત્પન્ન થવા પર પણ હું ધન્ય છું જે શ્રેષ્ઠ પુરુષ પણ આપ લોકો મને પૂછી રહ્યા છો. ભગવાન વ્યાસના મુખથી જે મેં સાંભળ્યું છે તે યથાજ્ઞાન હું કહું છું.
એક સમયે નારદમુનિ નરનારાયણના આશ્રમમાં ગયા. જે આશ્રમ ઘણા તપસ્વીઓ, સિદ્ધો તથા દેવતાઓથી પણ યુક્ત છે, અને બૈર, બહેડા, આંબળા, બેલ, આમ, અમડા, કૈથ, જાંબુ, કદમ્બાદિ અને પણ અનેક વૃક્ષોથી સુશોભિત છે. ભગવાન વિષ્ણુના ચરણોથી નીકળેલી પવિત્ર ગંગા અને અલકનંદા પણ જ્યાં વહી રહી છે. એવા નર નારાયણના સ્થાનમાં શ્રી નારદ મુનિએ જઈને તે પરબ્રહ્મ નારાયણને જેનું મન સદા ચિંતનમાં લાગેલું રહે છે, જેણે જિતેન્દ્રિય, કામ ક્રોધાદિ છઓ શત્રુઓને જીતેલા છે, અત્યંત પ્રભા જેના શરીરમાંથી ચમકી રહી છે. એવા દેવતાઓના પણ દેવ તપસ્વી નારાયણને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરી અને હાથ જોડીને નારદ તે મુનિ વ્યાપક પ્રભુની સ્તુતિ કરવા લાગ્યા.
નારદજી બોલ્યા, હે દેવદેવ! હે જગન્નાથ! હે કૃપાસાગર સત્પતે! આપ સત્યવ્રત હો, ત્રિસત્ય હો, સત્ય આત્મા હો, અને સત્યસમ્ભવ હો. હે સત્યયોને! આપને નમસ્કાર છે. હું આપની શરણમાં આવ્યો છું. આપનું જે તપ છે તે સંપૂર્ણ પ્રાણીઓની શિક્ષા માટે અને મર્યાદાની સ્થાપના માટે છે. જો આપ તપસ્યા ન કરો તો, જેમ કળિયુગમાં એકના પાપ કરવાથી આખી પૃથ્વી ડૂબે છે તેમ જ એકના પુણ્ય કરવાથી આખી પૃથ્વી તરે છે એમાં તનિક પણ સંશય નથી.
‘પહેલાં સત્યયુગ આદિમાં જેમ એક પાપ કરતો હતો તો બધા પાપી થઈ જતા હતા’ એવી સ્થિતિ હટાવીને કળિયુગમાં કેવળ કર્તા જ પાપોથી લિપ્ત થાય છે આ આપના તપની સ્થિતિ છે. હે ભગવન્! કળિમાં જેટલા પ્રાણીઓ છે બધા વિષયોમાં આસક્ત છે.
સ્ત્રી, પુત્ર ગૃહમાં લાગેલું છે ચિત્ત જેમનું, એવા પ્રાણીઓનું હિત કરનાર જે હોય અને મારું પણ થોડું કલ્યાણ થાય એવો વિષય વિચાર કરીને કેવળ આપ જ કહેવાને યોગ્ય છો. તે જ આપના મુખથી સાંભળવાની ઇચ્છાથી હું બ્રહ્મલોકથી અહીં આવ્યો છું. આપ જ ઉપકારપ્રિય વિષ્ણુ છો એવું વેદોમાં નિશ્રિત છે. એટલા માટે લોકોપકાર માટે કથાનો સાર આ સમયે આપ સંભળાવો. જેના શ્રવણમાત્રથી નિર્ભય મોક્ષપદને પ્રાપ્ત કરે છે.’
આ પ્રકારે નારદજીનું વચન સાંભળી ભગવાન ઋષિ આનંદથી ખીલખીલા ઉઠ્યા અને ભુવનને પવિત્ર કરનારી પુણ્યકથા આરંભ કરી.
શ્રીનારાયણ બોલ્યા, ‘હે નારદ! ગોપોની સ્ત્રીઓના મુખકમળના ભ્રમર, રાસના ઈશ્વર, રસિકોના આભરણ, વૃંદાવનબિહારી, વ્રજના પતિ આદિપુરુષ ભગવાનની પુણ્ય કથાને કહું છું. જે નિમેષમાત્ર સમયમાં જગતને ઉત્પન્ન કરવાવાળા છે તેમના કર્મોને હે વત્સ! આ પૃથ્વી પર કોણ વર્ણન કરી શકે છે? હે નારદમુને! આપ પણ ભગવાનના ચરિત્રનો સરસ સાર જાણો છો. અને આ પણ જાણો છો કે ભગવચ્ચરિત્ર વાણી દ્વારા નથી કહી શકાતું. તથાપિ અદ્ભુત પુરુષોત્તમ માહાત્મ્ય આદરથી કહે છે. આ પુરુષોત્તમ માહાત્મ્ય દરિદ્રતા અને વૈધવ્યને નાશ કરનાર, યશનો દાતા તેમજ સત્પુત્ર અને મોક્ષને દેવાવાળું છે આથી જલ્દી જ તેનો પ્રયોગ કરવો જોઈએ.’
નારદ બોલ્યા, ‘હે મુને! પુરુષોત્તમ નામના કોણ દેવતા છે? તેમનું માહાત્મ્ય શું છે? આ અદ્ભુત-સા પ્રતીત થાય છે, આથી આપ મને વિસ્તારપૂર્વક કહો.’
સૂતજી બોલ્યા, શ્રીનારદનું વચન સાંભળી નારાયણ ક્ષણમાત્ર પુરુષોત્તમામાં સારી રીતે મન લગાવીને બોલ્યા.’
શ્રીનારાયણ બોલ્યા, ‘પુરુષોત્તમ’ આ માસનું નામ જે પડ્યું છે તે પણ કારણથી યુક્ત. પુરુષોત્તમ માસના સ્વામી દયાસાગર પુરુષોત્તમ જ છે, એટલા માટે ઋષિગણ આને પુરુષોત્તમાસ કહે છે. પુરુષોત્તમ માસનું વ્રત કરવાથી ભગવાન પુરુષોત્તમ પ્રસન્ન થાય છે.’
નારદજી બોલ્યા, ‘ચૈત્રાદિ માસ જે છે તે પોતાના-પોતાના સ્વામી દેવતાઓથી યુક્ત છે એવું મેં સાંભળ્યું છે પરંતુ તેમની વચ્ચે પુરુષોત્તમ નામનો માસ નથી સાંભળ્યો. પુરુષોત્તમ માસ કોણ છે? અને પુરુષોત્તમ માસના સ્વામી કૃપાના નિધિ પુરુષોત્તમ કેવી રીતે થયા? હે કૃપાનિધે! આ આપ મને કહો. આ માસનું સ્વરૂપ વિધાનની સાથે હે પ્રભો! કહો. હે સત્પતે! આ માસમાં શું કરવું? કેવી રીતે સ્નાન કરવું? શું દાન કરવું? આ માસનું જપ પૂજા ઉપવાસ આદિ શું સાધન છે? કહો. આ માસના વિધાનથી કોણ દેવતા પ્રસન્ન થાય છે? અને શું ફળ આપે છે? આના સિવાય અને જે કંઈ પણ તથ્ય હોય તે હે તપોધન! કહો. સાધુ દીનો ઉપર કૃપા કરવાવાળા હોય છે તે પૂછ્યા વગર કૃપા કરીને સદુપદેશ આપ્યા કરે છે.
આ પૃથ્વી પર જે મનુષ્ય બીજાઓના ભાગ્યના અનુવર્તી, દરિદ્રતાથી પીડિત, નિત્ય રોગી રહેવાવાળા, પુત્ર ચાહવાવાળા, જડ, ગૂંગા, ઉપરથી પોતાનાને મોટા ધાર્મિક દરસાવાવાળા, વિદ્યા વિહીન, મલિન વસ્ત્રોને ધારણ કરવાવાળા, નાસ્તિક, પરસ્ત્રીગામી, નીચ, જર્જર, દાસવૃત્તિ કરવાવાળા, આશા જેમની નષ્ટ થઈ ગઈ છે, સંકલ્પ જેમના ભગ્ન થઈ ગયા છે, તત્ત્વ જેમના ક્ષીણ થઈ ગયા છે, કુરુપી, રોગી, કુષ્ઠી, ટેઢા-મેઢા અંગ વાળા, અંધા, ઇષ્ટવિયોગ, મિત્રવિયોગ, સ્ત્રીવિયોગ, આપ્તપુરુષવિયોગ, માતાપિતાવિહીન, શોક દુઃખ આદિથી સૂકાઈ ગયા છે અંગ જેમના, પોતાની ઇષ્ટ વસ્તુથી રહિત ઉત્પન્ન થયા કરે છે.
કયા અનુષ્ઠાનના કરવા અને સાંભળવાથી, ફરીથી ઉત્પન્ન ન થાય, હે પ્રભો! એવો પ્રયોગ અમને સંભળાવો. વૈધવ્ય, વંધ્યાદોષ, અંગહીનતા, દુષ્ટ વ્યાધિઓ, રક્તપિત્ત આદિ, મિર્ગી રાજયક્ષ્માદિ જે દોષ છે, આ દોષોથી દુ:ખિત મનુષ્યોને જોઈને હે જગન્નાથ! હું દુઃખી છું. આથી મારા ઉપર દયા કરીને, હે બ્રહ્મન્! મારા મનને પ્રસન્ન કરવાવાળા વિષયને વિસ્તારથી કહો. હે પ્રભો! આપ સર્વજ્ઞ છો, સમસ્ત તત્ત્વોના આયતન છો.’
સૂતજી બોલ્યા, આ પ્રકારે નારદના પરોપકારી મધુર વચનોને સાંભળીને દેવદેવ નારાયણ, ચંદ્રમાની જેમ શાંત મહામુનિ નારદથી નવા મેઘના સમાન ગંભીર વચન બોલ્યા.
ઇતિ શ્રીબૃહન્નારદીયે પુરુષોત્તમમાસમાહાત્મ્યે દ્વિતીયોऽધ્યાયઃ ॥૨॥
સંબંધિત લેખ

Purushottam Mas Katha: Adhyaya 1 | पुरुषोत्तम मास कथा: अध्याय 1
યજ્ઞ માટે ભેગા થયેલા ઋષિઓ વચ્ચે નૈમિષારણ્યમાં આધ્યાત્મિક સંવાદનું વર્ણન, સુતજી અને શુકદેવજીનું સ્વાગત, તેમની દિવ્યતા અને ભક્તિ, જ્ઞાન અને યાત્રાનું મહત્વ. ભક્તો માટે ઇચ્છા પૂર્ણ કરતા વૃક્ષની જેમ...

Purushottam Mas Katha: Adhyaya 3 | पुरुषोत्तम मास कथा: अध्याय 3
અધિમાસે નિંદા અને લાચારી અનુભવીને ભગવાન વિષ્ણુનો આશ્રય લીધો. તેમણે પોતાની દુર્દશા વર્ણવી, અને ભગવાને તેમને આશ્વાસન આપતાં તેમનું સન્માન કરવાનું વચન આપ્યું. ઋષિઓએ કહ્યું, 'હે...

Purushottam Mas Katha: Adhyaya 5 | पुरुषोत्तम मास कथा: अध्याय 5
અધિક માસના દુઃખથી વ્યથિત, ભગવાન વિષ્ણુ અધિક માસને લઈને શ્રીકૃષ્ણના ગોલોક પહોંચ્યા. શ્રીકૃષ્ણે અધિક માસને સ્વીકારતા તેને "પુરુષોત્તમ માસ" નું સન્માન આપ્યું, તેનું દુઃખ હરી લીધું...

Purushottam Mas Katha: Adhyaya 6 | पुरुषोत्तम मास कथा: अध्याय 6
ભગવાન વિષ્ણુ અધિકમાસના દુઃખને લઈને ગોલોકમાં શ્રીકૃષ્ણ પાસે ગયા. શ્રીકૃષ્ણે અધિકમાસના દુઃખને દૂર કરીને તેને સર્વોત્તમ "પુરુષોત્તમ માસ" નો દરજ્જો આપ્યો. નારદજી બોલ્યા...

Purushottam Mas Katha: Adhyaya 7 | पुरुषोत्तम मास कथा: अध्याय 7
ભગવાન શ્રીકૃષ્ણે મલમાસને "પુરુષોત્તમ માસ" નામ આપીને સર્વોચ્ચ સ્થાન આપ્યું. આ માસમાં જપ, દાન, સ્નાન અને પૂજાથી ભક્તોને અસીમ પુણ્ય અને મોક્ષ પ્રાપ્ત થાય છે.

પુરુષોત્તમ માસ કથા: અધ્યાય ૮
સૂતજી બોલ્યા, ‘હે તપોધન! વિષ્ણુ અને શ્રીકૃષ્ણના સંવાદને સાંભળી સંતુષ્ટમન નારદ, નારાયણથી પુનઃ પ્રશ્ન કરવા લાગ્યા. નારદજી બોલ્યા, ‘હે પ્રભો! જ્યારે વિષ્ણુ વૈકુંઠ ચાલ્યા ગયા ત્યારે પછી…'