Purushottam Maas Katha: Adhyaya 14 | पुरुषोत्तम मास कथा: अध्याय 14
રાજા દૃઢધન્વાએ વાલ્મીકિ મુનિને શુક પક્ષીના વચન વિશે પૂછ્યું, જેનાથી તે પોતાના જીવનની સફળતા અને સમૃદ્ધિનું કારણ સમજવા માંગતા હતા. વાલ્મીકિ મુનિએ રાજાને જણાવ્યું કે તેમનો પૂર્વજન્મમાં સુદેવ નામના બ્રાહ્મણ હતા, જેમણે કઠિન તપસ્યા કરી હતી. તેમના તપના ફળસ્વરૂપે ભગવાન વિષ્ણુએ તેમની સાધનાથી પ્રસન્ન થઈને તેમને આશીર્વાદ આપ્યા.
શ્રીનારાયણજી બોલ્યા, ‘એ પછી ચિંતાથી આતુર રાજા દૃઢધન્વાના ઘરે વાલ્મીકિ મુનિ આવ્યા જેમણે પરમ અદ્ભુત તથા સુંદર રામચંદ્રજીનું ચરિત્ર વર્ણન કર્યું છે. રાજા દૃઢધન્વાએ દૂરથી જ વાલ્મીકિ મુનિને આવતા જોઈને ગભરાહટ સાથે જલ્દીથી ઊઠીને ભક્તિયુક્ત થઈ તેમના ચરણોમાં દંડવત્ પ્રણામ કર્યા. સારી રીતે પૂજા કરી ઉત્તમ આસન પર ઋષિને બેસાડીને તેમના ચરણોને ખોળામાં લઈને બંને હાથોથી ધોયા, અને તે ચરણોદકને મોટા હર્ષ સાથે શિરથી ધારણ કરી શુક પક્ષીની વાત સ્મરણ કરતા રાજા દૃઢધન્વાએ મધુર વચનથી આ પ્રમાણે કહ્યું.
દૃઢધન્વા બોલ્યા, ‘હે ભગવન્! આ સમયે હું કૃતકૃત્ય છું. ભાગ્યવાન છું. મારો જન્મ સફળ થયો. હે પ્રભો! આજે મારો મનોરથ પૂર્ણ થયો. આજે આપના પ્રત્યક્ષ દર્શનથી શાસ્ત્રાદિકોના યથાર્થ અર્થનું જ્ઞાન સફળ થયું. હે જગત્ના પાવન કરનારાઓના પાવન કરનારા! આજે હું મારા ભાગ્યનું શું વર્ણન કરું?’
શ્રીનારાયણ બોલ્યા, ‘આ રીતે વાલ્મીકિ મુનિને કહીને તે રાજા મૌન થઈ ગયા, બાદ વાલ્મીકિ મુનિએ તે રાજાને વિનયયુક્ત જોઈને મોટા પ્રસન્ન થયા અને જનતાને આનંદિત કરતા બોલ્યા.
વાલ્મીકિ મુનિ બોલ્યા, ‘હે નૃપશ્રેષ્ઠ! ઠીક છે, ઠીક છે, તમારામાં ઉક્ત પ્રકારની બધી વાતોનું હોવું સંભવ છે. હે રાજન્! તમે ચિંતાથી આતુર શા માટે છો? તે બધી મનની વાત કહો. એવું માલૂમ પડે છે કે તમારી કંઈક કહેવાની ઈચ્છા છે, એટલા માટે હે મહામતે! તેને કહો.
રાજા દૃઢધન્વા બોલ્યા, ‘આપના ચરણકમળની કૃપાથી હંમેશાં સુખ છે. પરંતુ હે વિદ્વાન્! અમારા હૃદયમાં એક મોટો સંદેહ છે. વનમાં થનારા શુક પક્ષીના મુખથી નીકળેલા બાણના સમાન તે વચનને દૂર કરો. કોઈ સમયે હું શિકાર રમવા માટે ગહન વનમાં નીકળી ગયો. ત્યાં ભ્રમણ કરતો એક તળાવ જોયું, તેનું જળ પીધું, બાદમાં થાક દૂર કરવા માટે એક મોટા વડવૃક્ષ નીચે બેસી ગયો.
અત્યંત ઘટાદાર તથા સુંદર છાયાવાળા અને મન તેમજ નેત્રને આનંદ આપનારા તે વૃક્ષ પર બેઠેલા સુંદર શુક પક્ષીને જોયો. જ્યારે તે શુક પક્ષી પર અમારી દૃષ્ટિ ગઈ ત્યારે તેણે અમારા સમક્ષ થઈને એક શ્લોક વાંચ્યો, કે આ પૃથ્વી પર વિદ્યમાન અતુલ સુખને જોઈને તું તત્ત્વ (આત્મા)નું ચિંતન નથી કરતો તો આ સંસારના પાર કેવી રીતે જઈશ? હું આ પ્રકાર શુક પક્ષીના વચનને સાંભળીને વિસ્મિત થઈ ગયો, હે બ્રહ્મન્! હું નથી જાણતો કે તે શુક પક્ષીએ શું કહ્યું?
આ અમારા હૃદયના સંદેહને આપ દૂર કરવાને યોગ્ય છો. અમારું રાજ્ય-સુખ તથા સુંદર ચાર પુત્ર, સુંદર પતિવ્રતા સ્ત્રી, હાથી, ઘોડા, રથ સેના, હે બ્રહ્મન્! આ બધી અતુલ સમૃદ્ધિ આ સમયે અમને કયા પુણ્યથી પ્રાપ્ત છે? આ બધું વિચાર કરી સંક્ષેપમાં કહેવાને આપ યોગ્ય છો.
રાજા દૃઢધન્વાના વચનને વાલ્મીકિ મુનિ સાંભળીને, પ્રાણાયામ કરી, એક મુહૂર્ત સુધી ધ્યાન હું મગ્ન થઈ, હાથમાં રાખેલા આંબળાના ફળના સમાન વિશ્વા સંસારના ભૂત, ભવિષ્યત્ અને જે વર્તમાન વિષયો છે, તેમને હૃદયમાં સમાધિના બળથી જાણીને અને નિશ્ચય કરી રાજાને બોલ્યા.
વાલ્મીકિ મુનિ બોલ્યા, ‘હે રાજાઓમાં શ્રેષ્ઠ! પોતાના પૂર્વજન્મનું ચરિત્ર તમે સાંભળો, હે રાજેન્દ્ર! પૂર્વજન્મમાં આપ દ્રવિડ દેશમાં તામ્રપર્ણી નદીના કિનારે વાસ કરનારા સુદેવ નામના બ્રાહ્મણ હતા. ધાર્મિક, સત્યવાદી, જે મળી જાય. તેટલામાં જ સંતોષ કરનારા, વેધાધ્યયનમાં સંપન્ન, વિષ્ણુ ભક્તિમાં પરાયણ રહ્યા કરતા હતા. આપે અગ્નિહોત્ર આદિ યજ્ઞો દ્વારા ભગવાન્ હરિને પ્રસન્ન કર્યા. આ પ્રકારે રહેતા તમારી ગુણવતી સ્ત્રી હતી. તે ગૌતમ ઋષિની સુંદર કન્યા ગૌતમી નામથી પ્રસિદ્ધ શંકરની સેવામાં તત્પર પાર્વતીના સમાન તમારી પ્રેમથી સેવા કરતી હતી.
ગૃહસ્થાશ્રમ ધર્મમાં ધર્મપૂર્વક વાસ કરતા ઘણો સમય વીતી ગયો! પરંતુ તમને કોઈ સંતાન ન થઈ. એક દિવસ પોતાની સ્ત્રીથી સેવિત આસન પર બેઠેલા દુઃખિત બ્રાહ્મણ ગદ્ગદ સ્વરથી બોલ્યા, ‘અયિ સુંદરિ! સંસારમાં પુત્રથી વધીને બીજું સુખ નથી અને તપ દાનથી ઉત્પન્ન પુણ્ય બીજા લોકમાં સુખ દેવાવાળું હોય છે. શુદ્ધ વંશમાં થનારી સંતાન આ લોકમાં તથા પરલોકમાં કલ્યાણ કરવાવાળી હોય છે, તે શ્રેષ્ઠ પુત્ર ન મળવાથી મારું જીવન નિષ્ફળ છે. ન તો મેં પુત્રને પ્રેમ કર્યો અને ન વેદ વાંચવા માટે સોનાથી જગાડ્યો, ન તો તેના લગ્ન કર્યા, એટલા માટે મારો જન્મ વ્યર્થમાં ચાલ્યો ગયો.
હમણાં મારી મૃત્યુ થાય, મારા આયુષ્ય પ્રિય નથી. આ પ્રકાર પોતાના પ્રિય પતિનું વચન સાંભળીને સ્ત્રી ગૌતમી ખિન્ન મન થઈ. બાદ ધૈર્ય ધારણ કરતી, પ્રિય વચન બોલવામાં ચતુર, પ્રિય પતિના પ્રેમમાં મગ્ન તે સ્ત્રી પોતાના પતિને સમજાવવા માટે સુંદર વચન બોલી.
ગૌતમી બોલી, ‘હે પ્રાણેશ્વર! હવે આ રીતે તુચ્છ વચનોને ન કહો. આપના સમાન ભગવદ્ભક્ત વિદ્વાન્ લોકો મોહને પ્રાપ્ત નથી થતા. હે વિભો! આપ સત્યધર્મમાં તત્પર રહેવાવાળા છો, આપે સ્વર્ગને જીતી લીધું છે. હે સુવ્રત! અર્થાત્ હે સુંદર વ્રત કરવાવાળા! આપ જેવા જ્ઞાનીને પુત્રોથી સુખની પ્રાપ્તિ કેવી? અર્થાત્ જ્ઞાની પુરુષ પુત્રોથી થનારા સુખની ઈચ્છા નથી કરતા.
હે બ્રહ્મન્! પહેલાં ચિત્રકેતુ નામના રાજા પુત્ર-શોકથી સંતપ્ત થયા ત્યારે નારદ અને અંગિરા ઋષિના આવવા પર પુત્ર-શોકથી મુક્ત થઈ સંસારથી ઉદ્ધારને પ્રાપ્ત થયા. આ જ પ્રકારે રાજા અંગ વેન નામના દુષ્ટ પુત્રના કારણે રાત્રિના સમયે વનમાં ચાલ્યા ગયા. આ જ રીતે હે સ્વામિન્! આપને પણ સંતાતિ દુઃખ દેવાવાળી હશે. ફરી પણ હે તપોધન! જો આપને સત્-પુત્રની લાલસા છે તો પ્રસન્નતાથી જગત્ના નાથ, સમસ્ત અર્થોના દાતા, હરિ ભગવાન્ની આરાધના કરો. હે બ્રહ્મન્! પહેલાં સાંખ્યાચાર્ય કર્દમ ઋષિએ જેમની આરાધના કરી પુત્રને પ્રાપ્ત કર્યો જે પુત્ર યોગીઓમાં શ્રેષ્ઠ કપિલ દેવ નામથી પ્રસિદ્ધ થયો.
બ્રાહ્મણ શ્રેષ્ઠ આ પ્રકાર પોતાની ધર્મપત્નીના વચન સાંભળીને તથા નિશ્ચય કરી તે પોતાની ગૌતમી સ્ત્રીની સાથે તામ્રપર્ણી નદીના તટ પર ગયા. ત્યાં જઈને તે પવિત્ર તીર્થમાં સ્નાન કરી અત્યંત શ્રેષ્ઠ તપ કરતા ભયા. પાંચ-પાંચ દિવસ પછી સૂકા પાંદડા તથા જળનો આહાર કરતા હતા. આ પ્રકારે તપ કરતા તે તપોનિધિ સુદેવ બ્રાહ્મણને ચાર હજાર વર્ષ વ્યતીત થઈ ગયા, હે બ્રહ્મન્! તેમની આ તપસ્યાથી ત્રણેય લોક કાંપી ઊઠ્યા. ભક્તવત્સલ ભગવાન્ તે સુદેવ બ્રાહ્મણની અત્યંત ઉગ્ર તપસ્યાને જોઈને જલ્દીથી ગરુડ પર સવાર થઈને પ્રગટ થયા.
શ્રીનારાયણ બોલ્યા, ‘નવીન મેઘના સમાન, જગત્ની રક્ષા કરવામાં સમર્થ ચાર ભુજાવાળા, પ્રસન્નમુખ મુરારિને જોઈને સુદેવ શર્મા બ્રાહ્મણ હર્ષની સાથે મુકુન્દ ભગવાન્ને સાષ્ટાંગ પ્રણામ કરતા બોલ્યા.
ઇતિ શ્રીબૃહન્નારદીયપુરાણે પુરુષોત્તમમાસમાહાત્મ્યે ચતુર્દશોऽધ્યાય ॥૧૪॥
આજનું પંચાંગ 25 જુલાઈ 2026
શુભ મુહૂર્ત, ચોઘડિયા, રાશિફળ અને ગ્રહ સ્થિતિ માટે
સંબંધિત લેખ

પુરુષોત્તમ માસનું મહત્વ
પુરુષોત્તમ માસ, જે પહેલાં મલમાસ તરીકે ઓળખાતો હતો, તે શ્રી કૃષ્ણના વરદાનથી વિશેષ મહત્વ પ્રાપ્ત કરે છે. આ મહિનામાં તપ, પૂજા, દાન, કથા શ્રવણથી અનંત પુણ્ય…

Purushottam Mas Katha: Adhyaya 1 | पुरुषोत्तम मास कथा: अध्याय 1
યજ્ઞ માટે ભેગા થયેલા ઋષિઓ વચ્ચે નૈમિષારણ્યમાં આધ્યાત્મિક સંવાદનું વર્ણન, સુતજી અને શુકદેવજીનું સ્વાગત, તેમની દિવ્યતા અને ભક્તિ, જ્ઞાન અને યાત્રાનું મહત્વ. ભક્તો માટે ઇચ્છા પૂર્ણ કરતા વૃક્ષની જેમ...

Purushottam Mas Katha: Adhyaya 2 | पुरुषोत्तम मास कथा: अध्याय 2
સુત ગોસ્વામીએ નારાયણ દ્વારા નારદને કહેલા પુરુષોત્તમ માસના મહિમા ઋષિઓને સંભળાવ્યા. આ મહિનો, ભગવાન પ્રત્યે ભક્તિ, ઉપવાસ અને દાન દ્વારા, પાપોનો નાશ કરે છે અને મુક્તિ તરફ દોરી જાય છે...

Purushottam Mas Katha: Adhyaya 3 | पुरुषोत्तम मास कथा: अध्याय 3
અધિમાસે નિંદા અને લાચારી અનુભવીને ભગવાન વિષ્ણુનો આશ્રય લીધો. તેમણે પોતાની દુર્દશા વર્ણવી, અને ભગવાને તેમને આશ્વાસન આપતાં તેમનું સન્માન કરવાનું વચન આપ્યું. ઋષિઓએ કહ્યું, 'હે...

Purushottam Maas Katha: Adhyaya 4 | पुरुषोत्तम मास कथा: अध्याय 4 |
અધિમાસ, શરણાગતિ સ્વીકારીને, ભગવાન વિષ્ણુ સમક્ષ અપમાનિત થવાના પોતાના દુ:ખ અને વેદનાનું વર્ણન કરે છે. કરુણાથી પ્રેરાઈને, ભગવાન વિષ્ણુ અધિમાસને સ્વીકારે છે અને તેને ખાતરી આપે છે. શ્રી નારાયણે કહ્યું,...

Purushottam Mas Katha: Adhyaya 5 | पुरुषोत्तम मास कथा: अध्याय 5
અધિક માસના દુઃખથી વ્યથિત, ભગવાન વિષ્ણુ અધિક માસને લઈને શ્રીકૃષ્ણના ગોલોક પહોંચ્યા. શ્રીકૃષ્ણે અધિક માસને સ્વીકારતા તેને "પુરુષોત્તમ માસ" નું સન્માન આપ્યું, તેનું દુઃખ હરી લીધું...