पुरुषोत्तम मास माहात्म्य कथा

Purushottam Maas Katha: Adhyaya 25 | पुरुषोत्तम मास कथा: अध्याय 25

Tilak Kathayein11 Jan 2025539 views📖 1 min read
પુરુષોત્તમ માસ વ્રત વિધિમાં ભગવાન વિષ્ણુની પૂજા, અર્ઘ્ય, દાન, બ્રાહ્મણ ભોજન અને જાગરણ દ્વારા મોક્ષ અને સુખપ્રાપ્તિનું વિધાન બતાવવામાં આવ્યું છે. દૃઢધન્વા બોલ્યા, 'હે બ્રહ્મન્! હે મુને!...

પુરુષોત્તમ માસ વ્રત વિધિમાં ભગવાન વિષ્ણુની પૂજા, અર્ઘ્ય, દાન, બ્રાહ્મણ ભોજન અને જાગરણ દ્વારા મોક્ષ અને સુખપ્રાપ્તિનું વિધાન બતાવવામાં આવ્યું છે.

દૃઢધન્વા બોલ્યા, ‘હે બ્રહ્મન્‌! હે મુને! હવે આપ પુરુષોત્તમ માસના વ્રત કરનારા મનુષ્યો માટે કૃપા કરીને ઉદ્યાપન વિધિને સારી રીતે કહો.

વાલ્મીકિ મુનિ બોલ્યા, ‘પુરુષોત્તમ માસ વ્રતના સંપૂર્ણ ફળની પ્રાપ્તિ માટે શ્રીપુરુષોત્તમ માસના ઉદ્યાપન વિધિને થોડામાં સારી રીતે કહીશ.

પુરુષોત્તમ માસના કૃષ્ણપક્ષની ચતુર્દશી, નવમી અથવા અષ્ટમીને ઉદ્યાપન કરવાનું કહ્યું છે. આ પવિત્ર પુરુષોત્તમ માસમાં પ્રાતઃકાળે ઊઠીને યથા ઉપલબ્ધ પૂજનના સામાનથી પૂર્વાહ્નની ક્રિયાને કરી, એકાગ્ર મન થઈને સદાચારી, વિષ્ણુભક્તિમાં તત્પર, સ્ત્રી સહિત એવા ત્રીસ બ્રાહ્મણોને નિમંત્રિત કરે.

હે ભૂપતે! અથવા યથાશક્તિ પોતાના ધનના અનુસાર સાત અથવા પાંચ બ્રાહ્મણોને નિમંત્રિત કરે, બાદ મધ્યાહ્નના સમયે સોળ શેર, અથવા તેના અડધા અથવા તેના અડધા યથાશક્તિ પંચધાન્યથી ઉત્તમ સર્વતોભદ્ર બનાવે.

સર્વતોભદ્ર મંડળના ઉપર સુવર્ણ, ચાંદી, તાંબા અથવા માટીના છિદ્ર રહિત શુદ્ધ ચાર કળશ સ્થાપન કરવા જોઈએ. ચાર વ્યૂહના પ્રીત્યર્થ ચારે દિશાઓમાં બેલથી યુક્ત, ઉત્તમ વસ્ત્રથી વેષ્ટિત, પાનથી યુક્ત તે કળશોને કરવા જોઈએ. તે ચારે કળશો પર ક્રમથી વાસુદેવ, હલધર, પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધ દેવને સ્થાપિત કરે.

પુરુષોત્તમ માસ વ્રતના આરંભમાં સ્થાપિત કરેલા રાધિકા સહિત દેવદેવેશ પુરુષોત્તમ ભગવાનને કળશયુક્ત ત્યાંથી લાવીને મંડળના ઉપર મધ્યભાગમાં સ્થાપિત કરે. વેદ-વેદાંગના જાણકાર વૈષ્ણવને આચાર્ય બનાવીને જપ માટે ચાર બ્રાહ્મણોનું વરણ કરે. તેમને અંગૂઠી સહિત બે-બે વસ્ત્ર આપવા જોઈએ. પ્રસન્ન મનથી વસ્ત્ર-આભૂષણ આદિથી આચાર્યને વિભૂષિત કરીને પછી શરીરશુદ્ધિ માટે પ્રાયશ્ચિત્ત ગોદાન કરે.

ત્યારબાદ સ્ત્રી સાથે પૂર્વોક્ત વિધિથી પૂજા કરવી જોઈએ. અને વરણ કરેલા ચાર બ્રાહ્મણોથી ચાર વ્યૂહનો જપ કરાવવો જોઈએ. અને ચાર દિશાઓમાં ચાર દીપક ઉપરના ભાગમાં સ્થાપિત કરવા જોઈએ. પછી નારિયેળ આદિ ફળોથી ક્રમના અનુસાર અર્ઘ્યદાન કરવું જોઈએ.

ઘૂંટણોના બળથી પૃથ્વીમાં સ્થિત થઈને પંચ રત્નત અને યથાલબ્ધ સારા ફળોને બંને હાથમાં લઈને શ્રદ્ધા ભક્તિથી યુક્ત સ્ત્રી સાથે હર્ષથી યુક્ત થઈ પ્રસન્ન મનથી શ્રીહરિ ભગવાનનું સ્મરણ કરતો અર્ઘ્યદાન કરે.

અર્ઘ્યદાનનો મંત્ર, ‘હે દેવદેવ! હે પુરુષોત્તમ! આપને નમસ્કાર છે. હે હરે! રાધિકાની સાથે આપ મારાથી આપવામાં આવેલા અર્ઘ્યને ગ્રહણ કરો. નવીન મેઘના સમાન શ્યામવર્ણ, બે ભુજાધારી, મુરલી હાથમાં ધારણ કરેલા, પીતાંબરધારી, દેવ, રાધિકાની સાથે પુરુષોત્તમ ભગવાનને નમસ્કાર છે. આ પ્રકારે ભક્તિની સાથે રાધિકાની સાથે પુરુષોત્તમ ભગવાનને નમસ્કાર કરીને ચતુર્થ્યન્ત નામમંત્રોથી તલની આહુતિ દેવી.

આ પછી તેમના મંત્રોથી તર્પણ અને માર્જન કરે. બાદ રાધિકાની સાથે પુરુષોત્તમ દેવની આરતી કરે. હવે નીરાજનનો મંત્ર-કમળના દળના સમાન કાન્તિ વાળા, રાધિકાના રમણ, કોટિ કામદેવના સૌંદર્યને ધારણ કરવાવાળા દેવેશનું પ્રેમથી નીરાજન કરું છું.

અથ ધ્યાન મંત્ર-અનંત રત્નોથી શોભાયમાન સિંહાસન પર સ્થિત, અંતરજ્યોતિ, સ્વરૂપ, વંશી શબ્દથી અત્યંત મોહિત વ્રજની સ્ત્રીઓથી ઘેરાયેલા છે તેથી વૃંદાવનમાં અત્યંત શોભાયમાન, રાધિકા અને કૌસ્તુભમણિથી ચમકતા હૃદય વાળા શોભાયમાન રત્નોથી જટિત કિરીટ અને કુંડળને ધારણ કરવાવાળા, આપ નવીન પીતાંબરને ધારણ કર્યા છે આ પ્રકારે પુરુષોત્તમ ભગવાનનું ધ્યાન કરે.

પછી રાધિકાની સાથે પુરુષોત્તમ ભગવાનને પુષ્પાંજલિ આપીને સ્ત્રી સાથે સાષ્ટાંગ નમસ્કાર કરે. નવીન મેઘના સમાન શ્યામવર્ણ પીતવસ્ત્રધારી, અચ્યુત, શ્રીવત્સ ચિન્હથી શોભિત ઉરસ્થળ વાળા રાધિકા સહિત હરિ ભગવાનને નમસ્કાર છે.

બ્રાહ્મણને સુવર્ણની સાથે પૂર્ણપાત્ર દેવું. બાદ પ્રસન્નતાની સાથે આચાર્યને ઘણી-સી દક્ષિણા દેવી. સપત્નીક આચાર્યને ભક્તિથી વસ્ત્ર આભૂષણથી પ્રસન્ન કરે, પછી ઋત્વિજોને ઉત્તમ દક્ષિણા દેવી. બછડા સહિત, વસ્ત્ર સહિત, દૂધ દેવાવાળી, સુશીલા ગૌને ઘંટા આભૂષણથી ભૂષિત કરીને તેનું દાન કરવું જોઈએ. તાંબાનું પીઠ, સુવર્ણનું શૃંગ, ચાંદીના ખુરથી ભૂષિત કરી દેવું, ઘૃતપાત્ર દેવું અને તે જ પ્રકારે તિલપાત્ર દેવું.

સ્ત્રી-પુરુષને પહેરવા માટે ઉમા-મહેશ્વરના પ્રીત્યર્થ વસ્ત્રનું દાન કરે. આઠ પ્રકારનું પદ દેવું અને એક જોડી જૂતા દેવા. જો શક્તિ હોય તો આયુની ચંચળતાને વિચારતો વૈષ્ણવ બ્રાહ્મણને શ્રીમદ્ભાગવતનું દાન કરે, વાર ન કરે. શ્રીમદ્ભાગવત સાક્ષાત્‌ ભગવાનનું અદ્ભુત રૂપ છે.

જે વૈષ્ણવ પંડિત બ્રાહ્મણને આપે છે, તે કોટિ કુળનો ઉદ્ધાર કરી અપ્સરાગણોથી સેવિત વિમાન પર સવાર થઈ યોગીઓને દુર્લભ ગોલોકને જાય છે.

હજારો કન્યાદાન સેંકડો વાજપેય યજ્ઞ, ધાન્યની સાથે ક્ષેત્રોના દાન અને જે તુલાદાન આદિ, આઠ મહાદાન છે અને વેદદાન છે તે બધા શ્રીમદ્ભાગવત દાનની સોળગવીં કલાની બરાબરી નથી કરી શકતા. તેથી શ્રીમદ્ભાગવતને સુવર્ણના સિંહાસન પર સ્થાપિત કરી વસ્ત્ર-આભૂષણથી અલંકૃત કરી વિધિપૂર્વક વૈષ્ણવ બ્રાહ્મણને દેવું. કાંસાના ૩૦ (ત્રીસ) સમ્પુટમાં ત્રીસ-ત્રીસ માલપુઆ રાખીને બ્રાહ્મણોને દેવા.

હે પૃથિવીપતે! દરેક માલપુઆમાં જેટલા છિદ્ર હોય છે તેટલા વર્ષ પર્યંત વૈકુંઠ લોકમાં જઈને વાસ કરે છે. યોગીઓને દુર્લભ, નિર્ગુણ ગોલોકને જાય છે. જે સનાતન જ્યોતિર્ધામ ગોલોકને જઈને નથી પાછા ફરતા. અઢી શેર કાંસાનો સમ્પુટ કહ્યો છે. નિર્ધન પુરુષ યથાશક્તિ વ્રતપૂર્તિ માટે સમ્પુટ દાન કરે. અથવા પુરુષોત્તમ ભગવાનના પ્રીત્યર્થ માલપુઆનો કાચો સામાન, ફળની સાથે સમ્પુટમાં રાખીને દેવું.

હે નરાધિપ! નિમંત્રિત સપત્નીક બ્રાહ્મણોને પુરુષોત્તમ ભગવાનના સમીપ સંકલ્પ કરીને દેવું.

હવે પ્રાર્થના લખીએ છીએ, ‘હે શ્રીકૃષ્ણ! હે જગદાધાર! હે જગદાનંદદાયક! અર્થાત્‌ હે જગતને આનંદ દેવા વાળા! મારી સમસ્ત આ લોક તથા પરલોકની કામનાઓને જલ્દી પૂર્ણ કરો. આ પ્રકારે ગોવિંદ ભગવાનની પ્રાર્થના કરી પ્રસન્નતા પૂર્વક પુરુષોત્તમ ભગવાનનું સ્મરણ કરતો સ્ત્રીસહિત સદાચારી બ્રાહ્મણોને ભોજન કરાવે.

બ્રાહ્મણરૂપ હરિ અને બ્રાહ્મણીરૂપ રાધિકાનું સ્મરણ કરતો ભક્તિ પૂર્વક ગંધાક્ષતથી પૂજન કરી ઘૃત પાયસનું ભોજન કરાવે. વ્રત કરનાર વિધિપૂર્વક ભોજન સામાનનો સંકલ્પ કરે. અંગૂર, કેળા, અનેક પ્રકારના આમના ફળ, ઘીના પાકેલા, સુંદર અડદના બનેલા મોટા, ચીની ઘીના બનેલા ઘેવર, ફેની, ખાંડના બનેલા મંડક, ખરબૂજા, કાકડીનું શાક, આદરખ, સુંદર લીંબુ, આમ અને અનેક પ્રકારના અલગ-અલગ શાક.

આ પ્રકારે ષટ્‌રસોથી યુક્ત ચાર પ્રકારનું ભોજન સુગંધિત પદાર્થથી વાસિત ગોરસને પીરસીને, કોમળ વાણી બોલતા, ‘આ સ્વાદિષ્ટ છે, આને આપના માટે તૈયાર કર્યું છે, પ્રસન્નતાની સાથે ભોજન કરો. હે બ્રહ્મન્‌! હે પ્રભો! જે આ પકાવેલા પદાર્થોમાં સારું માલૂમ હોય તેને માંગો.

હું ધન્ય છું, આજે હું બ્રાહ્મણોના અનુગ્રહનો પાત્ર થયો, મારો જન્મ સફળ થયો, આ પ્રકારે કહીને આનંદ પૂર્વક બ્રાહ્મણોને ભોજન કરાવીને તાંબૂલ અને દક્ષિણા દેવી. ઈલાયચી, લવિંગ, કપૂર, નાગરપાન, કસ્તુરી, જાવિત્રી, કત્થા અને ચૂનો. આ બધા પદાર્થોને મેળવીને ભગવાનના માટે પ્રિય તાંબૂલને દેવું જોઈએ. તેથી આ સામાનોથી યુક્ત કરીને જ આદરની સાથે તાંબૂલ દેવું જોઈએ.

જે આ પ્રકારે તાંબૂલને બ્રાહ્મણ શ્રેષ્ઠના માટે આપે છે તે આ લોકમાં ઐશ્વર્ય સુખ ભોગ કરી પરલોકમાં અમૃતનો ભોક્તા હોય છે. સ્ત્રીની સાથે બ્રાહ્મણોને પ્રસન્ન કરી હાથમાં મોદક દેવો અને બ્રાહ્મણીઓને વિધિપૂર્વક વસ્ત્ર આભૂષણથી અલંકૃત કરી વંશી દેવી. સીમા સુધી તે બ્રાહ્મણોને પહોંચાડીને વિસર્જન કરે.

મંત્રહીનં ક્રિયાહીનં ભક્તિહીનં જનાર્દન॥ યત્પૂજિતં મયા દેવ પરિપૂર્ણ તદસ્તુ મે॥૧॥

અને આ મંત્રથી પુરુષોત્તમ ભગવાનને ક્ષમાપન સમર્પણ કરીને

યસ્ય સ્મૃત્યા ચ નામોક્ત્યા તપોયજ્ઞક્રિયાદિષુ॥ ન્યૂનં સંપૂર્ણતાં યાતિ સદ્યો વન્દે તમચ્યુતમ્‌॥૧॥

આ મંત્રથી જનાર્દન ભગવાનને નમસ્કાર કરી જે કંઈ કમી રહી ગઈ હોય તે અચ્યુત ભગવાનની કૃપાથી પૂર્ણ ફળ દેવાવાળો હોય આ કહીને યથાસુખ વિચરે. અન્નનો યથાભાગ વિભાગ કરી ભૂતોને આપીને મિથ્યાભાષણથી રહિત થઈ, અન્નની નિંદા ન કરતો કુટુંબિજનોની સાથે ભોજન કરે.

અમાવસ્યાના દિવસે રાત્રિમાં જાગરણ કરે. સુવર્ણની પ્રતિમામાં રાધિકાના સહિત પુરુષોત્તમ ભગવાનનું પૂજન કરે. પૂજાના અંતમાં સપત્નીક વ્રતી પ્રસન્નચિત્ત થઈ નમસ્કાર કરી રાધિકાની સાથે પુરુષોત્તમ દેવનું વિસર્જન કરે. પછી આચાર્યને મૂર્તિના સહિત ચઢાવેલો સામાનને દેવો. પોતાની ઈચ્છા અનુસાર યથાયોગ્ય અન્નુદાનને દેવો. જે કોઈ ઉપાયથી આ વ્રતને કરે અને ઉત્તમ ભક્તિથી દ્રવ્યના અનુસાર દાન દેવો. સ્ત્રી અથવા પુરુષ આ વ્રતને કરવાથી જન્મ-જન્મમાં દુઃખ, દરિદ્રય અને દૌર્ભાગ્યને નથી પ્રાપ્ત થતા.

જે લોકો આ વ્રતને કરે છે તે આ લોકમાં અનેક પ્રકારના મનોરથોને પ્રાપ્ત કરીને સુંદર વિમાન પર ચઢીને શ્રેષ્ઠ વૈકુંઠ લોકને જાય છે.

શ્રીનારાયણ બોલ્યા, ‘આ પ્રકારે જે પુરુષ શ્રીકૃષ્ણ ભગવાનના પ્રિય પુરુષોત્તમ માસવ્રત વિધિપૂર્વક આદરની સાથે કરે છે તે આ લોકના સુખોને ભોગવીને અને પાપરાશિથી મુક્ત થઈને પોતાના પૂર્વ પુરુષોની સાથે ગોલોકને જાય છે

ઇતિ શ્રીબૃહન્નારદીયપુરાણે પુરુષોત્તમમાસમાહાત્મ્યે પઞ્ચવિંશોऽધ્યાયઃ ॥૨૫॥

🕉

આજનું પંચાંગ 25 જુલાઈ 2026

શુભ મુહૂર્ત, ચોઘડિયા, રાશિફળ અને ગ્રહ સ્થિતિ માટે

શેર કરો:

સંબંધિત લેખ

Purushottam Maas Katha | पुरुषोत्तम मास माहात्म्य
પુરુષોત્તમ માસ માહાત્મ્ય કથા

પુરુષોત્તમ માસનું મહત્વ

પુરુષોત્તમ માસ, જે પહેલાં મલમાસ તરીકે ઓળખાતો હતો, તે શ્રી કૃષ્ણના વરદાનથી વિશેષ મહત્વ પ્રાપ્ત કરે છે. આ મહિનામાં તપ, પૂજા, દાન, કથા શ્રવણથી અનંત પુણ્ય…

12 Jan 2025800
Purushottam Maas Katha: Adhyaya 4 | पुरुषोत्तम मास कथा: अध्याय 4 |
પુરુષોત્તમ માસ માહાત્મ્ય કથા

Purushottam Maas Katha: Adhyaya 4 | पुरुषोत्तम मास कथा: अध्याय 4 |

અધિમાસ, શરણાગતિ સ્વીકારીને, ભગવાન વિષ્ણુ સમક્ષ અપમાનિત થવાના પોતાના દુ:ખ અને વેદનાનું વર્ણન કરે છે. કરુણાથી પ્રેરાઈને, ભગવાન વિષ્ણુ અધિમાસને સ્વીકારે છે અને તેને ખાતરી આપે છે. શ્રી નારાયણે કહ્યું,...

12 Jan 2025207
Purushottam Maas Katha: Adhyaya 10 | पुरुषोत्तम मास कथा: अध्याय 10
પુરુષોત્તમ માસ માહાત્મ્ય કથા

Purushottam Maas Katha: Adhyaya 10 | पुरुषोत्तम मास कथा: अध्याय 10

દુર્વાસા મુનિએ કન્યાને પુરુષોત્તમ માસનું મહત્વ સમજાવ્યું, પરંતુ તેણીએ તેનો અસ્વીકાર કર્યો. પછી, દુર્વાસાએ તેને શ્રાપ આપવાને બદલે, શિવની તપસ્યા કરવાની સલાહ આપી. નારદ…

12 Jan 2025231
Purushottam Maas Katha: Adhyaya 11 |  पुरुषोत्तम मास कथा: अध्याय 11
પુરુષોત્તમ માસ માહાત્મ્ય કથા

Purushottam Maas Katha: Adhyaya 11 | पुरुषोत्तम मास कथा: अध्याय 11

કથામાં એક તપસ્વી કન્યાએ ભગવાન શિવની કઠોર તપસ્યા કરી. શિવજીએ તેને પાંચ પતિનું વરદાન આપ્યું, પરંતુ કન્યાએ તેને અસ્વીકાર કરી દીધો, અને પુરુષોત્તમ માસ…

12 Jan 2025331
Purushottam Maas Katha: Adhyaya 12 | पुरुषोत्तम मास कथा: अध्याय 12
પુરુષોત્તમ માસ માહાત્મ્ય કથા

પુરુષોત્તમ માસ કથા: અધ્યાય ૧૨

આ કથા પુરુષોત્તમ માસના મહાત્મ્ય અને ભગવાન શ્રીકૃષ્ણના ઉપદેશો પર આધારિત છે. નારદજીએ ભગવાનને પૂછ્યું કે જ્યારે શિવજી ગયા, ત્યારે તપસ્વિની કન્યા પર શું વીતી. શ્રી...

12 Jan 2025382
Purushottam Maas Katha: Adhyaya 13  | पुरुषोत्तम मास कथा: अध्याय 13
પુરુષોત્તમ માસ માહાત્મ્ય કથા

પુરુષોત્તમ માસ કથા: અધ્યાય ૧૩

આ અંશમાં ઋષિ રાજા દ્રઢધનવા ની કથા કહે છે, જે પોતાની સમૃદ્ધિ પર વિચાર કરતી વખતે આધ્યાત્મિક જ્ઞાન મેળવવા માટે દિવ્ય ઉપદેશો દ્વારા પરિવર્તનનો અનુભવ કરે છે.

12 Jan 2025328