પુરુષોત્તમ માસ કથા: અધ્યાય ૧૬
શ્રી નારાયણે નારદને વાલ્મીકિ ઋષિ દ્વારા રાજા દૃઢધન્વાને સંભળાવેલી અદ્ભુત કથા કહી. ગરુડે સુદેવ શર્માને પુત્ર સુખનું વરદાન આપ્યું પરંતુ ચેતવણી આપી કે બારમા વર્ષમાં પુત્ર મૃત્યુ પામશે. દેવલ મુનિએ શુકદેવના અલ્પાયુ હોવાની ભવિષ્યવાણી કરી. ગૌતમીએ સુદેવને હરિ ભક્તિની સલાહ આપી, જેનાથી તેમણે શોક ત્યાગીને ભગવાનનું સ્મરણ કર્યું.
શ્રીનારાયણ બોલ્યા, ‘હે મહાપ્રાજ્ઞ! હે નારદ! વાલ્મીકિ ઋષિએ જે પરમ અદ્ભુત ચરિત્ર દૃઢધન્વા રાજાને કહ્યું તે ચરિત્ર હું કહું છું તમે સાંભળો.
વાલ્મીકિ ઋષિ બોલ્યા, ‘હે દૃઢધન્વન! હે મહારાજ! અમારા વચનને સાંભળો. ગરુડજીએ કેશવ ભગવાનની આજ્ઞાથી આ પ્રકારે બ્રાહ્મણ શ્રેષ્ઠને કહ્યું.
ગરુડજી બોલ્યા, ‘હે દ્વિજશ્રેષ્ઠ! તમને સાત જન્મ સુધી પુત્રનું સુખ નથી એ જે વચન હરિ ભગવાને કહ્યું સો આ સમયે તમને તેવું જ છે, તો પણ કૃપાથી સ્વામીની આજ્ઞા પામીને હું તમને પુત્ર આપીશ. હે તપોધન! અમારા અંશથી તમને પુત્ર થશે. જે પુત્રથી ગૌતમીની સાથે તમે મનોરથને પ્રાપ્ત કરશો; કિંતુ તે પુત્રથી થનારું દુઃખ તમને બંનેને અવશ્ય થશે.
હે દ્વિજશાર્દૂલ! તમે ધન્ય છો જે તમારી બુદ્ધિ હરિ ભગવાનમાં થઈ. હરિભક્તિ સકામ હો અથવા નિષ્કામ હો, હરિ ભગવાનને બંને જ પ્રિય છે. મનુષ્યોનું શરીર જળના બુદબુદ સમાન ક્ષણમાં નાશ થવાવાળું છે તે શરીરને પ્રાપ્ત કરી જે હૃદયમાં હરિના ચરણોનું ચિંતન કરે છે તે ધન્ય છે. આ અત્યંત દુસ્તર સંસારથી તારવાવાળા હરિ ભગવાન સિવાય બીજું કોઈ નથી, આ હરિ ભગવાનની જ કૃપાથી મેં તમને પુત્ર આપ્યો છે. મનમાં શ્રીહરિને ધારણ કરી સુખપૂર્વક વિચારો અને ઉદાસીન ભાવથી સંસારના સુખોને ભોગો.
વાલ્મીકિ ઋષિ બોલ્યા, ‘ગૌતમી અને સુદેવ બંને સ્ત્રી પુરુષના જોતા-જોતા ઉત્તમ વરને આપીને તે જ સમયે ગરુડ પર સવાર થઈને ભગવાન હરિ જલ્દીથી વૈકુંઠોમાં ચાલ્યા ગયા. સુદેવ શર્મા પણ સ્ત્રીની સાથે પોતાના મનના અનુસાર પુત્રરૂપ વરને પામીને પોતાના ઘરે આવ્યો અને ઉત્તમ ગૃહસ્થાશ્રમના સુખને ભોગવવા લાગ્યો.
કેટલોક સમય વીત્યા પછી ગૌતમીને ગર્ભ રહ્યો અને દશમો મહિનો પ્રાપ્ત થવા પર ગર્ભ પૂર્ણ થયો. પ્રસુતિકાળ આવવા પર ગૌતમીએ ઉત્તમ પુત્ર પેદા કર્યો અને પુત્ર થવા પર સુદેવ શર્મા ખૂબ પ્રસન્ન થયો. શ્રેષ્ઠ બ્રાહ્મણોને બોલાવીને જાતકર્મ સંસ્કાર કર્યો અને સારી રીતે સ્નાન કરી બ્રાહ્મણશ્રેષ્ઠ સુદેવ શર્માએ તે બ્રાહ્મણોને ખૂબ દાન આપ્યું. બ્રાહ્મણ અને સ્વજનોની સાથે બુદ્ધિમાન સુદેવ શર્માએ નામકરણ સંસ્કાર કર્યો. કૃપાળુ ગરુડજીએ પ્રેમથી આ પુત્ર થયો હતો.
શરદઋતુના ચંદ્રમાના સમાન ઉદયને પ્રાપ્ત, તેજસ્વી, આ શુકના સદૃશ છે તેથી મારો આ પ્રિય પુત્ર શુકદેવ નામવાળો હો. માતાના મનને આનંદ આપવાવાળો તે પુત્ર પિતાના મનોરથોની સાથે-સાથે શુક્લપક્ષના ચંદ્રમાના સમાન વધવા લાગ્યો.
પિતાએ હર્ષની સાથે ઉપનયન સંસ્કાર કરી ગાયત્રી મંત્રનો ઉપદેશ કર્યો. બાદ તે બાળક વેદારંભ સંસ્કારને પ્રાપ્ત કરી બ્રહ્મચર્ય વ્રતમાં સ્થિત થયો. તે બ્રહ્મચર્યના તેજથી યુક્ત બાળક સાક્ષાત્ બીજા સૂર્યના સમાન શોભિત થયો. બુદ્ધિસાગર તે બાળકે વેદનું અધ્યયન પ્રારંભ કર્યું. તે ગુરુવત્સલ બાળકે સદ્બુદ્ધિથી પોતાના ગુરુને પ્રસન્ન કર્યા અને ગુરુના એક વાર કહેવા માત્રથી સમસ્ત વિદ્યાને પ્રાપ્ત કરી.
વાલ્મીકિ ઋષિ બોલ્યા, ‘એક સમયે કોટિ સૂર્યના સમાન પ્રભાવ વાળા દેવલ ઋષિ આવ્યા. તેમને જોઈને હર્ષથી સુદેવ શર્માએ દંડવત્ પ્રણામ કર્યા. અર્ધ્ય, પાદ્ય આદિથી વિધિપૂર્વક તે દેવલ મુનિની પૂજા કરી અને મહાત્મા દેવલ માટે આસન આપ્યું. અતિ તેજસ્વી દેવદર્શન દેવલ ઋષિ તે આસન પર બેસી ગયા. બાદ પોતાના ચરણો પર બાળકને પડેલો જોઈને દેવલ ઋષિ બોલ્યા.
દેવલ મુનિ બોલ્યા, ‘અહો હે સુદેવ! તમે ધન્ય છો, તમારા ઉપર ભગવાન પ્રસન્ન થયા, કારણ કે તમે દુર્લભ, સુંદર, શ્રેષ્ઠ પુત્રને પ્રાપ્ત કર્યો છે. એવો વિનીત, બુદ્ધિમાન, બોલવામાં ચતુર વેદપાઠી અને શીલવાન પુત્ર ક્યાંય પણ કોઈના અહીં નથી જોયો.
હે પુત્ર! અહીં આવો, તમારા હાથમાં આ કૌતુક શું જોઉં છું? સુંદર છત્ર, બે ચામર, યવરેખાની સાથે કમળ, જાનુ સુધી લટકવાવાળા હાથીના સૂંઢના સમાન આ તમારા હાથ, કાન સુધી ફેલાયેલા વિશાળ લાલ નેત્ર, શરીર ગોળ આકારનું, ત્રિવલીથી યુક્ત પેટ છે.
આ પ્રકારે તે બાળકના વિષયમાં કહીને તે બ્રાહ્મણને ઉત્કંઠિત જોઈને દેવલ ઋષિ ફરી બોલ્યા, અહો! હે સુદેવ! આ તમારો છોકરો ગુણોનો સમુદ્ર છે.

ખભા અને કોખનું સંધિ સ્થાન ગૂઢ છે, શંખના સમાન ઉતાર-ચઢાવ યુક્ત ગળા વાળો, ચિક્કણ ટેઢા શિરના વાળ વાળો, ઊંચી છાતી, લાંબી ગરદન, બરાબર કાન, બળદના સમાન ખભા, આ રીતે સમસ્ત લક્ષણોથી યુક્ત આ પુત્ર શ્રેષ્ઠ ભાગ્યનો નિધિ છે.
એક જ બહુ મોટો દોષ છે જેનાથી બધું વ્યર્થ થઈ ગયું. આ પ્રકારે કહીને શિર કાંપતા દીર્ઘ શ્વાસ લઈને દેવલ મુનિ બોલ્યા, ‘પ્રથમ આયુની પરીક્ષા કરવી, બાદ લક્ષણોને કહેવા જોઈએ. આયુથી હીન બાળકના લક્ષણોથી શું પ્રયોજન છે? હે સુદેવ! આ તમારો છોકરો બારમા વર્ષમાં ડૂબીને મરી જશે, એનાથી તમે મનમાં શોક નહીં કરતા. અવશ્ય થવાવાળું નિઃસંદેહ થઈને જ રહે છે, મરણાસન્ન ને ઔષધ આપવાના સમાન તેની કોઈ પ્રતિક્રિયા નથી.
વાલ્મીકિ મુનિ બોલ્યા, ‘દેવલ મુનિ આ પ્રકારે કહીને બ્રહ્મલોકને ચાલ્યા ગયા અને ગૌતમીની સાથે સુદેવ બ્રાહ્મણ પૃથ્વી પર પડી ગયો.
પૃથ્વી પર પડેલો દેવલ ઋષિના કહેલા વચનોને સ્મરણ કરી ચિરકાળ સુધી વિલાપ કરવા લાગ્યો. બાદ તેની સ્ત્રી ગૌતમી ધૈર્ય ધારણ કરતી પુત્રને પોતાની ગોદમાં લઈને, પ્રથમ પ્રેમથી પુત્રનું મુખ ચુંબન કરી બાદ પતિથી બોલી.
ગૌતમી બોલી, ‘હે દ્વિજરાજ! થવાવાળી વસ્તુમાં ભય નહીં કરવો જોઈએ. જે નથી થવાવાળું તે ક્યારેય નહીં થાય અને જે થવાવાળું છે તે થઈને રહેશે. શું રાજા નલ, રામચંદ્ર અને યુધિષ્ઠિર દુઃખને પ્રાપ્ત નથી થયા?
રાજા બલિ પણ બંધનને પ્રાપ્ત થયો, યાદવ નાશને પ્રાપ્ત થયા, હિરણ્યાક્ષ કઠિન વધને પ્રાપ્ત થયો, વૃત્રાસુર પણ મૃત્યુને પ્રાપ્ત થયો. સહસ્રાર્જુનનું શિર કાપવામાં આવ્યું, રાવણના પણ તે જ રીતે શિર કાપવામાં આવ્યા, હે મુને! ભગવાન રામચંદ્ર પણ વનમાં જાનકીના વિરહને પ્રાપ્ત થયા.
રાજર્ષિ પરીક્ષિત પણ બ્રાહ્મણથી મૃત્યુને પ્રાપ્ત થયા. હે મુનીશ્વર! આ પ્રકારે જે થવાવાળું છે તે અવશ્ય થાય છે. એટલા માટે હે નાથ! ઊઠો અને સનાતન હરિ ભગવાનનું ભજન કરો જે સમસ્ત જીવોના રક્ષક છે અને મોક્ષ પદને આપવાવાળા છે.
વાલ્મીકિ ઋષિ બોલ્યા, ‘આ પ્રકારે સુદેવ શર્માએ પોતાની સ્ત્રી ગૌતમીના વચનને સાંભળીને સ્વસ્થ થઈ હૃદયમાં હરિ ભગવાનના ચરણોનું ધ્યાન કરી પુત્રથી થવાવાળા શોકને જલ્દીથી ત્યાગ કરી દીધો.
ઇતિ શ્રીબૃહન્નારદીયપુરાણે પુરુષોત્તમમાસમાહાત્મ્યે ષોડશોऽધ્યાયઃ ॥૧૬॥
આજનું પંચાંગ 25 જુલાઈ 2026
શુભ મુહૂર્ત, ચોઘડિયા, રાશિફળ અને ગ્રહ સ્થિતિ માટે
સંબંધિત લેખ

પુરુષોત્તમ માસનું મહત્વ
પુરુષોત્તમ માસ, જે પહેલાં મલમાસ તરીકે ઓળખાતો હતો, તે શ્રી કૃષ્ણના વરદાનથી વિશેષ મહત્વ પ્રાપ્ત કરે છે. આ મહિનામાં તપ, પૂજા, દાન, કથા શ્રવણથી અનંત પુણ્ય…

Purushottam Mas Katha: Adhyaya 1 | पुरुषोत्तम मास कथा: अध्याय 1
યજ્ઞ માટે ભેગા થયેલા ઋષિઓ વચ્ચે નૈમિષારણ્યમાં આધ્યાત્મિક સંવાદનું વર્ણન, સુતજી અને શુકદેવજીનું સ્વાગત, તેમની દિવ્યતા અને ભક્તિ, જ્ઞાન અને યાત્રાનું મહત્વ. ભક્તો માટે ઇચ્છા પૂર્ણ કરતા વૃક્ષની જેમ...

Purushottam Mas Katha: Adhyaya 2 | पुरुषोत्तम मास कथा: अध्याय 2
સુત ગોસ્વામીએ નારાયણ દ્વારા નારદને કહેલા પુરુષોત્તમ માસના મહિમા ઋષિઓને સંભળાવ્યા. આ મહિનો, ભગવાન પ્રત્યે ભક્તિ, ઉપવાસ અને દાન દ્વારા, પાપોનો નાશ કરે છે અને મુક્તિ તરફ દોરી જાય છે...

Purushottam Mas Katha: Adhyaya 3 | पुरुषोत्तम मास कथा: अध्याय 3
અધિમાસે નિંદા અને લાચારી અનુભવીને ભગવાન વિષ્ણુનો આશ્રય લીધો. તેમણે પોતાની દુર્દશા વર્ણવી, અને ભગવાને તેમને આશ્વાસન આપતાં તેમનું સન્માન કરવાનું વચન આપ્યું. ઋષિઓએ કહ્યું, 'હે...

Purushottam Maas Katha: Adhyaya 4 | पुरुषोत्तम मास कथा: अध्याय 4 |
અધિમાસ, શરણાગતિ સ્વીકારીને, ભગવાન વિષ્ણુ સમક્ષ અપમાનિત થવાના પોતાના દુ:ખ અને વેદનાનું વર્ણન કરે છે. કરુણાથી પ્રેરાઈને, ભગવાન વિષ્ણુ અધિમાસને સ્વીકારે છે અને તેને ખાતરી આપે છે. શ્રી નારાયણે કહ્યું,...

Purushottam Mas Katha: Adhyaya 5 | पुरुषोत्तम मास कथा: अध्याय 5
અધિક માસના દુઃખથી વ્યથિત, ભગવાન વિષ્ણુ અધિક માસને લઈને શ્રીકૃષ્ણના ગોલોક પહોંચ્યા. શ્રીકૃષ્ણે અધિક માસને સ્વીકારતા તેને "પુરુષોત્તમ માસ" નું સન્માન આપ્યું, તેનું દુઃખ હરી લીધું...